જામનગર શહેર સહિત જિલ્લાની સસ્તા અનાજની 470 દુકાનો આજથી હડતાળ પર
જામનગર, 1 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લામાં 470 વ્યાજબી ભાવના દુકાનદારોએ આજે પહેલી નબેમ્બરથી હડતાળ શરૂ કરી છે. સરકાર દ્રારા રાશનના દુકાનદારોની લાંબા સમયની રજૂઆતો નહિ સંતોષાતા સરકાર સામે બાયો ચડાવી છે. આજે પહેલી નવેમ્બરથી જામનગર સહિત સમગ્ર રાજ્યમા
સસ્તા અનાજના વેપારી


જામનગર, 1 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લામાં 470 વ્યાજબી ભાવના દુકાનદારોએ આજે પહેલી નબેમ્બરથી હડતાળ શરૂ કરી છે. સરકાર દ્રારા રાશનના દુકાનદારોની લાંબા સમયની રજૂઆતો નહિ સંતોષાતા સરકાર સામે બાયો ચડાવી છે.

આજે પહેલી નવેમ્બરથી જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સસ્તા અનાજ દુકાનદારોએ સરકારની નીતિના વિરોધમાં હડતાલ જાહેર કરી દીધી છે. રાજ્યમાં હજારો દુકાન બંધ થતા 75 લાખથી વધુ ગરીબ પરિવારોને અનાજ વિતરણ બંધ રહશે. દુકાનદારોના એસોસિએશને આ હડતાલ અંગે ઘણાં દિવસ અગાઉ જ જાહેરાત કરી દીધી હતી.

છતાં સરકારે આટલાં દિવસો સુધી આ બાબત પર ધ્યાન આપ્યું નહીં. આજે હવે દુકાનો બંધ રહી અને સરકારને ખુરશી નીચે રેલો આવ્યો ત્યારે છેક, હવે અત્યારે રાજ્યના પૂરવઠા સચિવ એસોસિએશન સાથે બેઠક કરવા દોડ્યા હોવાનું જાણવા મળે છે.

જામનગર શહેરમાં સસ્તા અનાજની 80 અને જિલ્લામાં 390 દુકાનો છે, જે આજથી બંધ છે. દુકાનદારોએ સરકારી ગોદામમાંથી અનાજ ઉપાડવા સરકારમાં નાણાં જમા કરાવ્યા નથી. ગરીબોને અનાજ વિતરણ કરવામાં વિલંબ થશે. હજારો પરિવારો ચિંતાઓમાં મૂકાઈ ગયા છે.

આ વખતે એસોસિએશન સરકારને ભીંસમાં લેવા મક્કમ છે, કારણ કે ભૂતકાળમાં સરકારે અનેક વખત એસોસિએશનની રજૂઆતને દાદ આપી નથી. એસોસિએશન પોતાની પડતર માંગોનો ઉકેલ ઈચ્છે છે. બીજી તરફ સરકાર તરફથી એવો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે કે, ગુજરાતની અનાજ વિતરણની જાહેર વ્યવસ્થાઓ દેશમાં સૌથી શ્રેષ્ઠ છે. સાચું કોણ ? આ પ્રશ્ન સપાટી પર ચર્ચાઓમાં ગાજે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande