ગુજરાતના માછીમારોને નુકસાનીનું વળતર ચૂકવવા ભલામણ
પોરબંદર, 1 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજયના માછીમારો માટે તાત્કાલીક રાહત પેકેજ આપવા ભલામણ કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપ માછીમાર સેલના કન્વીનર મહેન્દ્રભાઈ જુંગીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે, ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓના માછીમારો આ
ગુજરાતના માછીમારોને નુકસાની નું વળતર ચૂકવવા ભલામણ.


પોરબંદર, 1 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજયના માછીમારો માટે તાત્કાલીક રાહત પેકેજ આપવા ભલામણ કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપ માછીમાર સેલના કન્વીનર મહેન્દ્રભાઈ જુંગીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે, ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓના માછીમારો આ માછીમારી સીઝનમાં ખુબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહયા છે. ચાલુ માછીમારી સીઝનના છેલ્લા અઢી મહિના દરમિયાન ખરાબ દરિયાઈ પરિસ્થિતિઓ અને સતત કુદરતી આફતોને કારણે કોઈપણ માછીમાર દ્વારા એક પણ માછીમારી ફીશીંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકાઈ નથી. પરિણામે માછીમારોને કરોડો રૂપિયાનું ભારે નાણાકીય નુકસાન થયું છે. ગુજરાતનો માછીમાર સમાજ તેમની આજીવિકા માટે સંપૂર્ણપણે માછીમારી પર આધાર રાખે છે, અને આ સતત નુકસાને તેમને ભારે આર્થિક સંકટમાં ધકેલી દીધા છે. તેથી નમ્ર વિનંતી છે કે ગુજરાત સરકાર તમામ દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાત્કાલીક સર્વે કરી માછીમારો માટે વહેલી તકે ખાસ રાહત પેકેજ જાહેર કરવામાં આવે. આ મુદ્દો ખુબ જ ગંભીર અને અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહેલા માછીમાર પરિવારોને ટેકો આપવા માટે તાત્કાલીક ધ્યાન આપવાની જરૂર છે. આ બાબતે અમે તમારા દયાળુ અને ત્વરિત પગલાની આશા રાખીએ છીએ.તેમ ગુજરાત પ્રદેશ ભાજપ માછીમાર સેલના કન્વીનર મહેન્દ્રભાઈ જુંગી એ જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande