જામનગર ખાતે 15 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે તાલીમ શિબિર યોજાશે
નવસારી, 1 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર કચેરી દ્વારા અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી જામનગર સંચાલિત રાજ્યના 15 થી 35 વર્ષની વયમર્યાદા
જામનગર ખાતે 15 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે તાલીમ શિબિર યોજાશે


નવસારી, 1 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર કચેરી દ્વારા અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી જામનગર સંચાલિત રાજ્યના 15 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે શારીરિક ક્ષમતા વધે અને સાહસિક સાથે તેઓનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાના હેતુથી યુવાનોમાં સાહસિકતાના ગુણનો વિકાસ થાય અને આકસ્મિક આવી પડેલી પૂર,વાવાઝોડું,આગ,ભૂકંપ જેવી કુદરતી/કૃત્રિમ આપદાઓના સમયમાં યુવાનો સ્વબચાવ સાથે અન્યોને પણ મદદ કરી શકે તે માટે તાલિમ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે.

આ શિબિરમાં ભાગ લેનાર શિબિરાર્થીઓને રહેવા, જમવા અને પ્રવાસભાડું સરકારશ્રી દ્વારા આપવામાં આવશે. આ શિબિર પાંચ દિવસની નિવાસી શિબિર રહેશે. આ તાલિમ શિબિરમાં એન.સી.સી.,એન.એસ.એસ, રમત ગમત, સાહસિક પ્રવૃત્તિઓ અથવા અન્ય એડવેન્ચર પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ શિબિરાર્થીઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

ભાગ લેવા ઇચ્છુક યુવક-યુવતીઓએ આપના જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીએથી અરજી ફોર્મ મેળવી અરજી ફોર્મ સાથે જરૂરી આધાર પુરાવા સ્વ પ્રમાણિત કરી તા. 15/11/2025 સુધીમાં અરજી ફોર્મ , જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, 1607 કામાક્ષી પ્રથમ માળ , સ્વપ્ન લોક સોસાયટી ,કાલીયાવડી નવસારી ખાતે કચેરી સમય દરમ્યાન મોકલી આપવાની રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande