
ભાવનગર 12 નવેમ્બર (હિ.સ.) ડૉ. મનસુખ માંડવિયા, માનનીય કેન્દ્રિય શ્રમ, રોજગાર, યુવા મામલા અને ખેલ મંત્રી, ભારત સરકારના પ્રયત્નોથી રેલવે બોર્ડે પોરબંદર-રાજકોટ વચ્ચે બે નવી ટ્રેન ચલાવવા માટે મંજૂરી આપી છે. આ બંને ટ્રેન પોતાના નિર્ધારિત સમયે જ ચલાવાશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર આ ટ્રેનનો વિગતવાર વર્ણન નીચે મુજબ છે:
1. રાજકોટ-પોરબંદર પ્રારંભિક સ્પેશિયલ ટ્રેન (Inaugural Special Train)
ટ્રેન નંબર 09561 રાજકોટ-પોરબંદર પ્રારંભિક સ્પેશિયલ (Inaugural Special), 14 નવેમ્બર 2025 ના રોજ રાજકોટ સ્ટેશનેથી સવારે 10.30 વાગ્યે પ્રસ્થાન કરશે અને 14.40 વાગ્યે પોરબંદર સ્ટેશન પહોંચશે.
2. રાજકોટ-પોરબંદર-રાજકોટ દૈનિક પેસેન્જર ટ્રેન
ટ્રેન નંબર 59561 રાજકોટ-પોરબંદર પેસેન્જર દૈનિક, રાજકોટ સ્ટેશનેથી સવારે 8.35 વાગ્યે પ્રસ્થાન કરશે અને 13.15 વાગ્યે પોરબંદર સ્ટેશન પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર 59562 પોરબંદર-રાજકોટ પેસેન્જર દૈનિક, પોરબંદર સ્ટેશનેથી 14.30 વાગ્યે પ્રસ્થાન કરશે અને 18.55 વાગ્યે રાજકોટ સ્ટેશન પહોંચશે. આ બંને ટ્રેન 15.11.2025 થી રોજબરોજ તેમના નિર્ધારિત સમયે ચલાવાશે.
3. પોરબંદર-રાજકોટ-પોરબંદર પેસેન્જર ટ્રેન (સાપ્તાહિક 5 દિવસ)
ટ્રેન નંબર 59564 પોરબંદર-રાજકોટ પેસેન્જર (સાપ્તાહિક 5 દિવસ, ગુરુવાર અને રવિવાર સિવાય), પોરબંદર સ્ટેશનેથી સવારે 7.50 વાગ્યે પ્રસ્થાન કરશે અને 12.35 વાગ્યે રાજકોટ સ્ટેશન પહોંચશે. આ ટ્રેન 15.11.2025 થી સપ્તાહમાં 5 દિવસ (ગુરૂવાર અને રવિવાર સિવાય) તેમના નિર્ધારિત સમયે ચલાવાશે.
આ જ રીતે, ટ્રેન નંબર 59563 રાજકોટ-પોરબંદર પેસેન્જર (સાપ્તાહિક 5 દિવસ, બુધવાર અને શનિવાર સિવાય), રાજકોટ સ્ટેશનેથી બપોરે 14.50 વાગ્યે પ્રસ્થાન કરશે અને 20.30 વાગ્યે પોરબંદર સ્ટેશન પહોંચશે. આ ટ્રેન 16.11.2025 થી સપ્તાહમાં 5 દિવસ (બુધવાર અને શનિવાર સિવાય) તેમના નિર્ધારિત સમયે ચલાવાશે.
ઉપરોક્ત તમામ ટ્રેન પોતાની મુસાફરી દરમિયાન ભક્તિનગર, રીબડા, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, ઉપલેટા, પાનેલી મોટી, જામ જોધપુર, બાલવા, કાટકોલા, વાંસજાલિયા અને રાણાવાવ સ્ટેશનો પર બંને દિશામાં રોકશે.
ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત ટ્રેન ચલાવવા માટે ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરાશે. આ ટ્રેન પોરબંદરથી હાલના 14.35 વાગ્યાના સમયે બદલે 16.00 વાગ્યે પ્રસ્થાન કરશે. અને રાજકોટ સ્ટેશન પર 18.55 વાગ્યાની જગ્યાએ 21.20 વાગ્યે પહોંચશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ