પાટણમાં ગણેશ ટ્રેડર્સ પાસેથી રૂ. 1.21 લાખનું શંકાસ્પદ તેલ જપ્ત
પાટણ, 12 નવેમ્બર (હિ.સ.) : ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા માટેના અભિયાન અંતર્ગત, તા. 10/11/2025ના રોજ પાટણ જિલ્લાના ફૂડ સેફટી ઓફિસર પી. આર. ચૌધરી અને એલ. એન. ફોફની ટીમે પાટણ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી M/S. ગણેશ ટ્રેડર્સ, સી–11, વૃંદાવન એસ્ટેટ ખ
પાટણમાં ગણેશ ટ્રેડર્સ પાસેથી રૂ. 1.21 લાખનું શંકાસ્પદ તેલ જપ્ત


પાટણ, 12 નવેમ્બર (હિ.સ.) : ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા માટેના અભિયાન અંતર્ગત, તા. 10/11/2025ના રોજ પાટણ જિલ્લાના ફૂડ સેફટી ઓફિસર પી. આર. ચૌધરી અને એલ. એન. ફોફની ટીમે પાટણ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી M/S. ગણેશ ટ્રેડર્સ, સી–11, વૃંદાવન એસ્ટેટ ખાતે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન આશરે 913 કિલોગ્રામ શંકાસ્પદ તેલનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 1,21,429/- થાય છે. તંત્રએ આ સમગ્ર જથ્થો સીઝ કરીને રિફાઇન્ડ પામોલિન તેલ અને રિફાઇન્ડ સોયાબીન તેલના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલ્યા છે.

પેઢી દ્વારા જૂના ટીનના ડબ્બામાં તેલનું પેકિંગ કરવામાં આવતું હોવાનું જણાતા તંત્રએ 265 ખાલી ડબ્બાનો સ્થળ પર નાશ કર્યો હતો. નાગરિકોને શુદ્ધ અને ભેળસેળ મુક્ત ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આવી નિયમિત ચકાસણીઓ ચાલુ રાખવામાં આવશે, તેમ ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રએ જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande