જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા ૧૫ નવેમ્બરે ભરતી મેળો યોજાશે
જૂનાગઢ, 14 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ એચ.ડી.એફ.સી. લાઇફ ઇન્સ્યુરન્સ કંપની તથા સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યુરન્સ કંપની લી. ખાતે ફાઇનાન્સીયલ કન્સલ્ટન્ટ
જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા ૧૫ નવેમ્બરે ભરતી મેળો યોજાશે


જૂનાગઢ, 14 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ એચ.ડી.એફ.સી. લાઇફ ઇન્સ્યુરન્સ કંપની તથા સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યુરન્સ કંપની લી. ખાતે ફાઇનાન્સીયલ કન્સલ્ટન્ટ, સેલ્સ મેનેજર અને પાર્ટનરની જગ્યાઓ માટે જગ્યાને અનુરૂપ એસ.એસ.સી, થી સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘બી” વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે તા.૧૫/૧૧/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦કલાકે યોજાશે.

આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande