જૂનાગઢ પરંપરા જાળવવા પ્રતિકાત્મક સ્વરૂપે ગિરનાર લીલી પરિક્રમાનો પ્રારંભ
જૂનાગઢ, 2 નવેમ્બર (હિ.સ.) કારતક સુદ અગિયારસે ગિરનાર લીલી પરિક્રમાની પરંપરા જાળવવા પ્રતિકાત્મક સ્વરૂપે થનાર પરિક્રમાનો શ્રીફળ વધેરી પ્રારંભ . ગિરનાર તીર્થક્ષેત્રના શેરનાથ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી બાપુ, શૈલજા દેવી માતાજી, મેયર ધ
ગિરનાર લીલી પરિક્રમાનો


જૂનાગઢ, 2 નવેમ્બર (હિ.સ.) કારતક સુદ અગિયારસે ગિરનાર લીલી પરિક્રમાની પરંપરા જાળવવા પ્રતિકાત્મક સ્વરૂપે થનાર પરિક્રમાનો શ્રીફળ વધેરી પ્રારંભ . ગિરનાર તીર્થક્ષેત્રના શેરનાથ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી બાપુ, શૈલજા દેવી માતાજી, મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, કલેકટર, મ્યુનિસિપલ કમિશનર , જિલ્લા પોલીસ વડા , નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયા, સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રતિકાત્મક સ્વરૂપે થનાર આ ગિરનાર લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. આ પૂર્વે પરંપરા મુજબ ભગવાન ગુરુ દત્તાત્રેયની પૂજન વિધિ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદના પગલે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર સર્જાયેલા કાદવ કીચડના કારણે પરિક્રમાને મોકૂફ રાખવાની ફરજ પડી છે. પરંતુ ધાર્મિક આસ્થાના સંપૂર્ણ સન્માન અને પરંપરા જળવાઈ રહે તે માટે પ્રતિકાત્મક સ્વરૂપે સાધુ સંતો મર્યાદિત સંખ્યામાં વહીવટી તંત્રની સાથે રહી પરિક્રમા કરશે.

પ્રતિકાત્મક સ્વરૂપે થનાર પરિક્રમા વિધિવત પ્રારંભ વેળાએ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા મનન અભાણી, અગ્રણી પુનિત શર્મા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર ડી.જે. જાડેજા, મહાનગરપાલિકાના નગરસેવકઓ સહિતના પદાધિકારી-અધિકારી ઉપસ્થિત રહ્યા હતા

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande