બલુચિસ્તાનમાં પ્રતિબંધિત સંગઠન (બીઆરએ) ના 100 થી વધુ બળવાખોરોએ આત્મસમર્પણ કર્યું
ક્વેટા, નવી દિલ્હી, 7 ડિસેમ્બર (હિ.સ.): પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સ્વતંત્રતાની માંગણી કરતા પ્રતિબંધિત સંગઠનના 100 થી વધુ બળવાખોરોએ આત્મસમર્પણ કર્યું છે. આ સંગઠનનું નામ બલુચિસ્તાન રિપબ્લિકન આર્મી (બીઆરએ) છે. બીઆરએ, બલુચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ) જ
બળવાખોરોનું આત્મસમર્પણ


ક્વેટા, નવી દિલ્હી, 7 ડિસેમ્બર (હિ.સ.): પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સ્વતંત્રતાની માંગણી કરતા પ્રતિબંધિત સંગઠનના 100 થી વધુ બળવાખોરોએ આત્મસમર્પણ કર્યું છે. આ સંગઠનનું નામ બલુચિસ્તાન રિપબ્લિકન આર્મી (બીઆરએ) છે. બીઆરએ, બલુચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ) જેવા અન્ય જૂથો સાથે, રાજ્યમાં અલગ રાષ્ટ્રની માંગને સમર્થન આપે છે. પાકિસ્તાન સેનાએ શનિવારે જાહેરાત કરી હતી કે આત્મસમર્પણ કરનારાઓમાં એક વરિષ્ઠ કમાન્ડરનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાને મુશ્કેલીગ્રસ્ત પ્રાંતમાં સુરક્ષા અને સમાધાન પ્રયાસો માટે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.

પાકિસ્તાની અખબારો ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અને દુનિયા ન્યૂઝના અહેવાલો અનુસાર, સેનાની જનસંપર્ક શાખા, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (આઈએસપીઆર) એ જણાવ્યું હતું કે, પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) ને ખતમ કરવા માટે ચાલી રહેલા ઓપરેશનના ભાગ રૂપે 5 ડિસેમ્બરે ડેરા બુગતીમાં પાંચ બળવાખોરો પણ માર્યા ગયા હતા. પાકિસ્તાન સેનાનો આરોપ છે કે, ટીટીપી ને ભારત દ્વારા સમર્થન આપવામાં આવે છે. આઈએસપીઆર એ સ્પષ્ટતા કરી કે સુઈ, ડેરા બુગતીમાં આત્મસમર્પણ કરનારાઓમાં, બીઆરએ ના બ્રાહમદાઘ બુગતી જૂથના કમાન્ડર વાદેરા નૂર અલી ચક્રાણીએ, 100 થી વધુ ભૂતપૂર્વ આતંકવાદીઓ સાથે પોતાના શસ્ત્રો મૂક્યા. જૂથે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાની પ્રતિજ્ઞા લીધી.

અહેવાલો અનુસાર, આ પ્રસંગે, બુગતીએ આસપાસના પહાડી વિસ્તારોમાં છુપાયેલા અન્ય આતંકવાદીઓને હિંસા છોડીને રાજ્યના મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા અપીલ કરી. સુઈ ટાઉનના અધ્યક્ષ ઇજ્જતુલ્લાહ અમાન બુગતીએ, બલુચિસ્તાનના મુખ્યમંત્રીના અભિગમની પ્રશંસા કરી. અધિકારીઓ કહે છે કે ચક રાની જાતિના સભ્યોને મુખ્ય પ્રવાહમાં લાવવા એ બીઆરએ માટે માનસિક ફટકો છે.

બલુચિસ્તાનના મુખ્યમંત્રી મીર સરફરાઝ બુગતીએ કમાન્ડર અને શાંતિપૂર્ણ જીવનમાં પાછા ફરવાનો નિર્ણય લેનારા તમામ લોકોને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે, વાદેરા નૂર અલી ચકરાણી અને તેમના 100 થી વધુ સાથીઓનો નિર્ણય પ્રશંસનીય છે. તેમણે કહ્યું કે, આ સ્પષ્ટ સંદેશ આપે છે કે રાજ્યએ ક્યારેય વાતચીતના દરવાજા બંધ કર્યા નથી.

દરમિયાન, ધ બલુચિસ્તાન પોસ્ટના અહેવાલ મુજબ, સુરક્ષા કારણોસર જાફર એક્સપ્રેસ અને બોલાન મેઇલ ફરીથી રદ કરવામાં આવી છે. જૈકકાબાદ પહોંચ્યા પછી બંને ટ્રેનો રદ કરવામાં આવી હતી. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. પરિસ્થિતિ સામાન્ય થતાં જ તેમને ટ્રેન સેવાઓ ફરી શરૂ કરવાની જાણ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande