ધરમપુરના ગાયત્રી મંદિર ખાતે સર્વરોગ નિદાન ચિકિત્સા કેમ્પ યોજાયો
વલસાડ, 10 જૂન (હિ.સ.)- રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રેરિત અને નિયામક આયુષ કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત તથા વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ ધરમપુરના ગાયત્રી મંદિર ખાતે ધરમપુર તાલુકાના સરકારી આયુર્વેદિક દવાખા
વલસાડ


વલસાડ, 10 જૂન (હિ.સ.)- રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રેરિત અને નિયામક આયુષ કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત તથા વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ ધરમપુરના ગાયત્રી મંદિર ખાતે ધરમપુર તાલુકાના સરકારી આયુર્વેદિક દવાખાના તિસ્કરી તલાટ, ખાંડા, ખારવેલ અને હોમીયોપેથી દવાખાનું ધરમપુર દ્વારા સર્વ રોગ નિદાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 252 લાભાર્થીએ કેમ્પનો લાભ લીધો હતો.

આ કેમ્પમાં 370 ગ્રામજનોને IEC નું વિતરણ કરી આયુર્વેદ અને હોમીયોપેથી ચિકિત્સા પધ્ધતિથી નિદાન સારવાર કરી ઔષધિનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેડિકલ ઓફિસ વૈદ્ય સેજલ પટેલ, વૈદ્ય ભાવિન ચૌધરી, વૈદ્ય પ્રતીક્ષા પટેલ, ડો.કેતન વ્યાસ, ફાર્માસિસ્ટ ધર્મેશ, સહાયક તરીકે સેવક અમિત ગાંવિત, પ્રકાશ, યતેન્દ્ર, ભાવેશ, યોગ શિક્ષક શિવમ, આશા, રમણ, ગુલાબભાઈનો સહકાર મળ્યો હતો. ગાયત્રી મંદિરના ટ્રસ્ટી ધીરુભાઈનો વિશેષ સહકાર મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande