સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા ભરૂચમાં પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન પરીસંવાદ કાર્યક્રમ યોજાયો
નવસારી, 10 જૂન (હિ.સ.)- પર્યાવરણના જતન માટે સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજ્ય અને આદિવાસી એકતા પરિષદ ભારત દેશ દ્વારા પર્યાવરણ જતન સમિતિ, ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી છે. આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર સંઘ આ દિવસની વૈશ્વિક ઉજવણી પ્લાસ્ટિક વપરાશ નિયંત્રણ વિ
સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા ભરૂચમાં પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન પરીસંવાદ કાર્યક્રમ યોજાયો


નવસારી, 10 જૂન (હિ.સ.)- પર્યાવરણના જતન માટે સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજ્ય અને આદિવાસી એકતા પરિષદ ભારત દેશ દ્વારા પર્યાવરણ જતન સમિતિ, ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી છે. આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર સંઘ આ દિવસની વૈશ્વિક ઉજવણી પ્લાસ્ટિક વપરાશ નિયંત્રણ વિષય પર હોય તથા હાલ વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગના લીધે સમગ્ર જીવસૃષ્ટિ કુદરતી આપત્તિઓથી ઘેરાઈ રહી હોય સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય અને આદિવાસી એકતા પરિષદ,ભારત દ્વારા ભરૂચ ખાતે પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન પરીસંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગામે ગામ બિરસા મુંડા ગ્રામ વનો બોડા ડુંગરને લીલાછમ બનાવવાનો સંકલ્પ કમિટીના આગેવાનો તથા પ્રતિનિધિઓ દ્વારા લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત પરીસંવાદના મુખ્ય વક્તાઓ ડૉ. શરદસિંહ કુમરે (પર્યાવરણ વિદ , ભોપાલ, મધ્યપ્રદેશ), ડો. રાજન ભગોરા (કન્સલ્ટિંગ ફિઝિશિયન અને કાનૂની સલાહકાર,ગુજરાત) અશોક માળી (સચિવ, માઇન્સ,મિનરલ એન્ડ પીપલ, ભારત), નિરલ પટેલ, અશોક ચૌધરી (મહા સચિવ, આદિવાસી એકતા પરિષદ, ભારત) પી.સી.ઠાકુર ( IPS), આર.જે. પટેલ નિવૃત કલેકટરે જળ, જંગલ, જમીન, ખાણ ખનીજના રક્ષણ માટે અને વિવિધ પ્રોજેક્ટોમાં વિસ્થાપિત થયેલ અને વિસ્થાપિત થનાર આદિવાસીઓને ન્યાય મળે એ માટે લીગલ સેલ ગુજરાત રાજ્યની રચના જેવા સલગ્ન વિષયો પર સૂચનો તથા માર્ગદર્શન આપ્યું હતું. સાથે ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઓછું કરવા અને પર્યાવરણ બચાવવા માટે ક્લાઈમેટ ચેન્જ યુનિવર્સિટી બનાવવાનું નક્કી કર્યું છે. જેમાં ક્લાયમેટ ચેન્જ, ટેકનોલોજી ક્લાઈમેટ ચેન્જ ઇનોવેશન અને મેનેજમેન્ટના કોર્સ શરૂ કરવામાં આવશે.

જેમાં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત ગ્રીન ટેકનોલોજી અને સસ્ટેનેબલ પ્રેક્ટિસ આધારિત ગ્રીન ઇનોવેશન હબની સ્થાપના કરવામાં આવશે જેની ચર્ચા કરવામાં આવી હતી .

આ પરીસંવાદ ડો. ચેતન પટેલ (રેડિયોલોજિસ્ટ),ડો. શાંતિરકર વસાવા (ગાયનેકોલોજીસ્ટ), ડો. એ.જી. પટેલ(ડાંગ),ડો. કર્ણિક ડામોર( ઓર્થોપેડિક સર્જન), ડો.દેક્ષટર પટેલ, અરુણ ચૌધરી(વડોદરા), ચંદ્રકાંત વસાવા (પ્રમુખ,વસાવા સમાજ), મહેશ પટેલ,(ભરૂચ,ધોડિયા સમાજ), સી. કે.તડવી (તડવી સમાજ), છનીયાભાઈ (રાઠવા સમાજ) વગેરે મહેમાનો સહિત મોટી સંખ્યામાં ગુજરાત રાજ્યમાંથી પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande