આર.સી. ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ખાતે ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશ અંગે માર્ગદર્શક સેમિનાર યોજાશે
ગાંધીનગર, 10 જૂન (હિ.સ.) : એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ (ACPDC), અમદાવાદની નોડલ સંસ્થા, આર.સી. ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ (RCTI) દ્વારા ધોરણ-10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અને C2D (સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા) દ્વારા સીધા બીજા વર્ષ
આર.સી. ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ખાતે ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશ અંગે માર્ગદર્શક સેમિનાર યોજાશે


ગાંધીનગર, 10 જૂન (હિ.સ.) : એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ (ACPDC), અમદાવાદની નોડલ સંસ્થા, આર.સી. ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ (RCTI) દ્વારા ધોરણ-10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અને C2D (સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા) દ્વારા સીધા બીજા વર્ષમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે એક વિશેષ માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

13 જૂન, 2025, શુક્રવારના રોજ સવારે 11 કલાકે સેમિનાર હોલ, એનેક્સી બિલ્ડિંગ, આર.સી. ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ખાતે આ સેમિનાર યોજાનાર છે.

આ સેમિનારનો મુખ્ય હેતુ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના ક્રમિક પગથિયાં વિશે વિગતવાર સમજ આપવાનો અને તે દરમિયાન વિદ્યાર્થીઓ તથા વાલીઓને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાનો છે.

આર.સી. ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદના તજ્જ્ઞ અને અનુભવી અધિકારીઓ દ્વારા પ્રવેશ ફોર્મ ભરવાથી લઈને કોલેજ પસંદગી સુધીની સંપૂર્ણ પ્રક્રિયા પર પ્રકાશ પાડવામાં આવશે અને ઉપસ્થિત લોકોના પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવશે.

ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આ અમૂલ્ય તકનો લાભ લઇ શકે છે.

આયોજકો દ્વારા વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ માર્ગદર્શક સેમિનારમાં ઉપસ્થિત રહી પ્રવેશ પ્રક્રિયા અંગેની મૂંઝવણો દૂર કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande