ખડગેએ, પ્રધાનમંત્રીને પત્ર લખીને લોકસભાના ઉપાધ્યક્ષની પસંદગીની માંગ કરી
નવી દિલ્હી, 10 જૂન (હિ.સ.). કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને લોકસભાના ઉપાધ્યક્ષની વહેલી તકે પસંદગી કરવાની માંગ કરી છે. તેમણે લખ્યું છે કે, આ પદ સતત બે લોકસભા કાર્યકાળથી ખાલ
વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે


નવી દિલ્હી, 10 જૂન (હિ.સ.). કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને લોકસભાના ઉપાધ્યક્ષની વહેલી તકે પસંદગી કરવાની માંગ કરી છે. તેમણે લખ્યું છે કે, આ પદ સતત બે લોકસભા કાર્યકાળથી ખાલી છે, જે સંસદીય પરંપરાઓ અને લોકશાહી પ્રણાલીની વિરુદ્ધ છે.

ખડગેએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, 17મી અને હવે 18મી લોકસભામાં ઉપાધ્યક્ષનું પદ ભરવામાં આવ્યું ન હતું, જ્યારે આ પદ આ પહેલા બધી લોકસભામાં હંમેશા રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ઉપાધ્યક્ષનું પદ પરંપરાગત રીતે વિપક્ષમાં સૌથી મોટા પક્ષને આપવામાં આવ્યું છે.

ખડગેએ કહ્યું, પહેલી લોકસભાથી સોળમી લોકસભા સુધી, દરેક ગૃહમાં એક ડેપ્યુટી સ્પીકર રહ્યો છે. મોટાભાગે, મુખ્ય વિરોધ પક્ષના સભ્યોમાંથી ડેપ્યુટી સ્પીકરની નિમણૂક એક સુસ્થાપિત પરંપરા રહી છે. જોકે, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર, આ પદ સતત બે લોકસભા કાર્યકાળ માટે ખાલી રહ્યું છે. સત્તરમી લોકસભા દરમિયાન કોઈ ડેપ્યુટી સ્પીકર ચૂંટાયા નથી અને આ ચિંતાજનક ઉદાહરણ વર્તમાન અઢારમી લોકસભામાં પણ ચાલુ છે.

બંધારણના અનુચ્છેદ 93 ને ટાંકીને તેમણે કહ્યું કે, લોકસભાએ સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની પસંદગી કરવાની હોય છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે બીજા કે ત્રીજા સત્રમાં પૂર્ણ થાય છે. ખડગેએ કહ્યું કે ડેપ્યુટી સ્પીકર સંસદમાં સ્પીકર પછી બીજું સૌથી મહત્વપૂર્ણ પદ છે અને તેમની હાજરી જરૂરી છે.

ખડગેએ વડા પ્રધાનને વિનંતી કરી કે તેઓ આ મહત્વપૂર્ણ પદ જલ્દી ભરે, જેથી લોકશાહી પ્રક્રિયા મજબૂત થઈ શકે અને ગૃહની ગરિમા જળવાઈ રહે.

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande