શંખેશ્વર પરિવારની આત્મહત્યા પાછળ વ્યાજખોરોની ધમકી: પોલીસ તપાસ ચાલુ
પાટણ, 10 જૂન (હિ.સ.) : સરસ્વતી તાલુકાના સરીયદ ગામના વતની ધર્મેશ પંચાલ શંખેશ્વરમાં છેલ્લા દસ વર્ષથી ફેબ્રિકેશનના વ્યવસાય સાથે જોડાયેલા હતા. બે દિવસ પહેલા ધર્મેશ, તેમની પત્ની ઉર્મિલા અને દસ વર્ષના પુત્ર પ્રકાશના મૃતદેહો કડી નજીક આદુન્દ્રા અને બલાસર વચ્
શંખેશ્વર પરિવારની આત્મહત્યા પાછળ વ્યાજખોરોની ધમકી: પોલીસ તપાસ ચાલુ


પાટણ, 10 જૂન (હિ.સ.) : સરસ્વતી તાલુકાના સરીયદ ગામના વતની ધર્મેશ પંચાલ શંખેશ્વરમાં છેલ્લા દસ વર્ષથી ફેબ્રિકેશનના વ્યવસાય સાથે જોડાયેલા હતા. બે દિવસ પહેલા ધર્મેશ, તેમની પત્ની ઉર્મિલા અને દસ વર્ષના પુત્ર પ્રકાશના મૃતદેહો કડી નજીક આદુન્દ્રા અને બલાસર વચ્ચેના નર્મદા કેનાલમાંથી મળી આવ્યા હતા.

કડી પોલીસને ગાડીમાંથી મળેલી સુસાઈડ નોટ મુજબ, વ્યાજખોરોની ત્રાસદાયક ધમકીઓથી કંટાળીને ધર્મેશે પરિવાર સાથે આત્મહત્યા કરી હતી. પીએસઆઈ પી.પી. ચાવડાના જણાવ્યા અનુસાર, મૃતક ધર્મેશના મોબાઈલમાંથી પણ વ્યાજખોરો દ્વારા વારંવાર પૈસાની માંગણી કરતી ઓડિયો ક્લીપ્સ મળેલી છે.

હાલમાં પોલીસ દ્વારા મૃતકનો મોબાઈલ, કાર અને સુસાઈડ નોટ કબજે કરવામાં આવી છે. ત્રણેય મૃતદેહોને કુંડાળ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આગામી દિવસોમાં કડી પોલીસની ટીમ શંખેશ્વર જઈને વધુ તપાસ હાથ ધરશે અને ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી શરૂ કરશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande