શંકર મહાદેવન, સંઘના ગીતોને નવી સૂર આપશે
નવી દિલ્હી, 10 જૂન (હિ.સ.) પદ્મશ્રીથી સન્માનિત પ્રખ્યાત ગાયક શંકર મહાદેવન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગીતોને નવી સૂર-તાલ સાથે રજૂ કરશે. આરએસએસના 100 વર્ષ પૂર્ણ થવા પર સ્વયંસેવકોને તેમના તરફથી આ એક અનોખી ભેટ હશે. કેન્દ્રીય માર્ગ પરિવહ
ગીત


નવી દિલ્હી, 10 જૂન (હિ.સ.) પદ્મશ્રીથી સન્માનિત પ્રખ્યાત ગાયક શંકર

મહાદેવન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગીતોને નવી સૂર-તાલ સાથે રજૂ કરશે. આરએસએસના 100 વર્ષ પૂર્ણ થવા

પર સ્વયંસેવકોને તેમના તરફથી આ એક અનોખી ભેટ હશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને

રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ, ગઈકાલે દિલ્હીમાં આયોજિત પુસ્તક વિમોચન સમારોહમાં આ

માહિતી શેર કરી.

તાનસેનના જીવન પર આધારિત પુસ્તકનું વિમોચન કરતી વખતે, નીતિન ગડકરીએ

કહ્યું કે,” સંગીતનું જીવનમાં અસાધારણ મહત્વ છે. આરએસએસસાથેના તેમના

જોડાણ દરમિયાન, તેઓ ઘણા

ભાવનાત્મક દેશભક્તિના ગીતોથી પ્રેરિત થયા હતા. સંઘના બીજા સરસંઘચાલક માધવ સદાશિવ

ગોલવલકર ઉર્ફે શ્રી ગુરુજીના નિધન પર ગવાયેલ ગીત - શત નમન માધવ ચરણ મેં, તે સમયે

સભાગૃહમાં કોઈ એવું નહોતું જેની આંખો આંસુ ન વહાવી હોય.” ગડકરીએ કહ્યું કે,” ડૉ.

હેડગેવાર અને શ્રી ગુરુજીથી લઈને સંઘના સ્વયંસેવકો માટે, દેશભક્તિના ગીતો કોણે

લખ્યા, તે એક ઇતિહાસ છે

જેનો અભ્યાસ કરવો જોઈએ.”

ગડકરીએ કહ્યું કે,” તેમણે પ્રખ્યાત સંગીતકાર શંકર મહાદેવનને

વિનંતી કરી હતી કે, તેઓ નવી પેઢી સમક્ષ આવા ઘણા ગીતો નવા સૂર અને લય સાથે રજૂ કરે, જેનો તેમણે

ખુશીથી સ્વીકાર કર્યો છે. સંઘના 100મા વર્ષમાં, સ્વયંસેવકો નવા સંગીત સાથે એ જ પ્રેરક ગીતો સાંભળી શકશે.”

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલાં રાષ્ટ્રીય

સ્વયંસેવક સંઘના સ્થાપના દિવસ (વિજયાદશમી, 24 ઓક્ટોબર 2023) પર શંકર મહાદેવન મુખ્ય મહેમાન હતા. તે દરમિયાન, તેમણે નાગપુરમાં

આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, જ્યારે હું સ્વયંસેવકોને જોઉં છું, ત્યારે દેશમાં

ગમે તે ઘટના બને, ગમે તે સમસ્યા

હોય, જ્યારે પણ જરૂર

હોય, ત્યારે તેઓ પણ

પાછળ ઉભા રહે છે અને શાંતિથી પોતાના દેશ માટે કામ કરે છે. જો આપણે કહીએ કે, આપણો

દેશ એક ગીત છે, તો આપણા

સ્વયંસેવકો તેની પાછળનો સૂર છે. જે ગીતને પ્રાણ આપે છે. દેશને એક ગીત અને

સ્વયંસેવકોને તેનું સંગીત ગણાવતા શંકર મહાદેવન, સંઘના તે ગીતોને એક નવી સૂરમાં રજૂ

કરવા જઈ રહ્યા છે. જે સ્વયંસેવકોના હૃદયને હલાવી દે છે અને તેઓ દેશની રક્ષા કરવા

અને દેશવાસીઓની સેવા કરવા માટે તૈયાર થઈ જાય છે.”

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમોમાં, એકલ ગીતોથી લઈને

સમૂહ ગીતો સુધીનું ખૂબ મહત્વ છે. સંઘના તાલીમ શિબિરોમાં, ગીતો અને સંગીત

શીખવવા માટે અલગ વર્ગોનું આયોજન કરવામાં આવે છે. ઘણીવાર, સંઘ બેન્ડ સાથે

પરેડ વગેરે કરતા જોવા મળે છે. પરંતુ સંઘમાં ગીત રચના અને ગીતકારો વિશે ખૂબ ઓછી

માહિતી ઉપલબ્ધ છે.

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી

વાજપેયીએ પણ સંઘના ઘણા ગીતોની રચના કરી હતી, જેમાં 'કદમ'

જેવા ગીતો હતા. 'મિલાકર ચલના હોગા' અને 'હિન્દુ તન મન

હિન્દુ જીવન, રાગ રાગ હિન્દુ

મેરા પરિચય' ગીતો લોકોના હોઠ

સુધી પહોંચ્યા. પ્રખ્યાત મરાઠી ગાયક સુધીર ફડકેએ પણ સંઘ માટે ઘણા ગીતો રચ્યા હતા

અને તેમને સૂર આપ્યો હતો. જો તમે સંઘના ગીતોના પુસ્તકો જુઓ તો તમને આવા સેંકડો

ગીતો મળશે. જે આપણને દેશ અને સમાજ માટે જીવવા અને કંઈક કરવા માટે પ્રેરણા આપે છે.

હિન્દુસ્થાન સમાચાર / જીતેન્દ્ર તિવારી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande