પોરબંદરમાં આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરીદળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસમાં જોડાવવા ઉમેદવારો માટે 30 દિવસના નિ:શુલ્ક નિવાસીતાલીમ વર્ગ યોજાશે
પોરબંદર, 19 જુલાઈ (હિ.સ.) : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર દ્વારા રાજ્યના યુવાનો આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરીદળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસમાં વધુમાં વધુ પસંદગી થાય અને યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણના કામમાં થાય તે હેતુથી પોરબંદર ખાતે
પોરબંદરમાં આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરીદળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસમાં જોડાવવા ઉમેદવારો માટે 30 દિવસના નિ:શુલ્ક નિવાસીતાલીમ વર્ગ યોજાશે


પોરબંદર, 19 જુલાઈ (હિ.સ.) : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર દ્વારા રાજ્યના યુવાનો આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરીદળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસમાં વધુમાં વધુ પસંદગી થાય અને યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણના કામમાં થાય તે હેતુથી પોરબંદર ખાતે 30 દિવસના તદ્દ્ન નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગનું(રહેવા તથા જમવાની સગવડ સાથે) આયોજન કરવામાં આવેલ છે. જેમા ફિઝીકલ તથા લેખીત પરીક્ષાલક્ષી તાલીમ આપવામાં આવશે, તો આ તાલીમ વર્ગમા જોડાવા ઈચ્છતા પોરબંદર જિલ્લાના ઉમેદવારોને જિલ્લા રોજગાર કચેરી, પોરબંદર ખાતે રૂબરુ આવી તા.15/08/2025 સુધીમાં અરજી કરવા જિલ્લા રોજગાર કચેરી, પોરબંદર દ્વારા અપીલ કરવામાં આવી છે.

નિવાસીતાલીમ વર્ગમાં જોડાવવા માટેની શૈક્ષણિક યોગ્યતામાં ઉમેદવાર ઘો-10 માં 45% સાથે અથવા ધો.12 માં 50% સાથે કોઈપણ પ્રવાહમાં પાસ કરેલ હોવા જોઈએ, તેમની ઉંમરઃ-17.5 થી 23વર્ષ હોવી જોઇએ અને શારીરિક યોગ્યતામાં ઉંચાઈ- 162સે.મી., વજન-50 કિલોગ્રામ, છાતી- ફુલાવ્યા વગર 77 સે.મી. અને ફુલાવેલ 82 સે.મી. હોવી જોઇએ.તાલીમન દરમ્યાન શારીરિક યોગ્યતા માટે ઉંચાઈ, વજન, છાતી તથા શારીરિક કસોટીઓ જેવી કે દોડ, લાંબો કુદકો, પુલ અપ્સ વિગેરેની ભરતીને અનુરૂપ ફિઝીકલ તથા લેખીત તાલીમ આપવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ નિવાસી તાલીમમાં જોડાયેલ ઉમેદવારો આ નિવાસી તાલીમમાં જોડાઈ શકશે નહિ, ઉમેદવારનું તાલીમ માટેનું ફાઈનલ સીલેક્શન સંરક્ષણ ક્ષેત્રના નક્કી કરેલા શારીરિક માપદંડ મુજબ કરવામાં આવશે અને આ નિવાસી તાલીમવર્ગમાં આર્મીની પ્રથમ તબક્કાની લેખિત પરિક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande