પાટણ, 19 જુલાઈ (હિ.સ.) : સિદ્ધપુર નગર પાલિકા પથિકાશ્રમ બિલ્ડીંગ જે ઘણા વર્ષો થી જર્જરિત હાલતમાં હોઈ પાલિકા દ્વારા વેપારીઓ તેમજ નાગરિકો ની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બિલ્ડીંગ ના જર્જરિત પ્રથમ માળ ને શનિવારે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે સૌપ્રથમ વીજ લાઇન બંધ કરી અને બિલ્ડીંગ તરફ આવવા જવાના માર્ગને બંધ કરી પાલિકા ચીફ ઓફિસર , પ્રમુખ , કારોબારી ચેરમેન , બાંધકામ કમિટી ચેરમેન સહીત પાલિકા કર્મચારીઓની ઉપસ્થિતિ મા કોઈ જાનહાની કે માલ ને નુકશાન ન થાય તેને ધ્યાનમાં રાખીને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર