ગીર સોમનાથ, 20 જુલાઈ (હિ.સ.)
જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય,
જે અનુસંધાને એલ.સી.બી.ના પો. ઇન્સ.એમ.વી.પટેલના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એ.એસ.આઇ. લાલજીભાઇ બાંભણીયા, નરેન્દ્રભાઈ કછોટ તથા ગોવિંદભાઇ વંશ નાઓને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે નીચે જણાવેલ નામવાળો ઇસમ જુનાગઢ જિલ્લાના મેંદરડા પો.સ્ટે.ના પ્રોહીબીશન ગુ.ર.નં.૨૯૧/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(ઈ),૯૮(૨), ૮૧ વિ.ના કામે છેલ્લા છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપી ને તાલાલા બસ સ્ટેશન પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
> પકડેલ નાસતો-ફરતો આરોપી ફરાર કેદી
રમેશભાઇ પુંજાભાઈ સોલંકી ઉ.વ ૩૬ ધંધો.મજુરી રહે. કાજરડી પ્રાથમિક શાળા-૨ પાસે તા.ઉના જી.ગીર સોમનાથ
આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ
એલ.સી.બી. પો.ઇન્સ. એમ.વી.પટેલ, પો.સબ.ઇન્સ. એ.સી.સિંધવ, એ.એસ.આઇ. લાલજીભાઇ બાંભણીયા તથા નરેન્દ્રભાઇ કછોટ તથા ગોવિંદભાઇ વંશ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ