સુરત, 5 ઓગસ્ટ (હિ.સ.)-સુરત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા યોજાનાર કલા મહાકુંભ-2025-26 અંતર્ગત ખટોદરાની બચકાનીવાળા વિદ્યામંદિર ખાતે ઝોન કક્ષાની સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં વક્તૃત્વ, નિબંધ, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ, લોકગીત/ભજન, સુગમ સંગીત, લગ્નગીત, સમૂહગીત, લોકનૃત્ય, રાસ, ગરબા સહિતની ઝોન કક્ષાની 14 કૃતિઓમાં ઉધના A-B તેમજ લિંબાયત ઝોનની વિવિધ શાળાઓના 400થી વધુ બાળકોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શાળાના આચાર્ય દિનેશભાઈ રાઠોડ, સુપરવાઇઝર મતી હેમલતાબેન દોડીયા, ડાયરેક્ટર ડૉ.રીટાબેન ફૂલવાલા, શાળાનો શિક્ષકગણ તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના કર્મચારી/અધિકારીઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે