
નવી દિલ્હી, 20 મે (હિ.સ.). સર્વોચ્ચ અદાલતે જાતિગત વસ્તી ગણતરી વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું કે, આ સરકારનો નીતિવિષયક નિર્ણય છે અને તેમાં હસ્તક્ષેપ કરવાનું કોઈ કારણ નથી.
અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, આગામી વસ્તી ગણતરીમાં જાતિ આધારિત ગણતરીનો સમાવેશ કરવામાં ન આવે, કારણ કે તેનો દુરુપયોગ થઈ શકે છે. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે સરકાર માટે એ જાણવું જરૂરી છે કે પછાત જાતિઓમાં કેટલા લોકો છે, જેથી તેમના કલ્યાણ માટે યોજનાઓ બનાવી શકાય. અદાલતે જણાવ્યું કે વસ્તી ગણતરી જાતિ આધારિત હોવી જોઈએ કે નહીં, તે સંપૂર્ણપણે સરકારની નીતિનો વિષય છે. કોર્ટને આમાં દખલ કરવાની કોઈ જરૂર જણાતી નથી, તેથી આ જનહિત અરજીને ફગાવવામાં આવે છે. આ અરજી સુધાકર ગુમુલા દ્વારા દાખલ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ