વડાપ્રધાન મોદી 19માં રોજગાર મેળાનો 23 મેના રોજ કરશે શુભારંભ
વડોદરા, 22 મે (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 મે, 2026ના રોજ સવારે 11:00 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 19મા રોજગાર મેળાનો શુભારંભ કરશે. આ પ્રસંગે વડાપ્રધાન દેશભરના 51 હજારથી વધુ નવીન નિયુક્ત કર્મચારીઓને નિમણૂકપત્રો વિતરણ કરશે તેમજ તેમને સં
PM Modi describes the glory of the motherland in a Sanskrit proverb


વડોદરા, 22 મે (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 મે, 2026ના રોજ સવારે 11:00 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 19મા રોજગાર મેળાનો શુભારંભ કરશે. આ પ્રસંગે વડાપ્રધાન દેશભરના 51 હજારથી વધુ નવીન નિયુક્ત કર્મચારીઓને નિમણૂકપત્રો વિતરણ કરશે તેમજ તેમને સંબોધિત પણ કરશે. દેશના 47 સ્થળોએ યોજાનારા આ રોજગાર મેળા અંતર્ગત કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં ભરતી કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને રેલવે મંત્રાલય, સંચાર મંત્રાલય (ડાક વિભાગ), રક્ષા મંત્રાલય, નાણાં મંત્રાલય સહિતના વિભાગોમાં નિમણૂક આપવામાં આવશે.

આ જ ક્રમમાં પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ ખાતે પણ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા સ્થિત રેલવે ઓડિટોરિયમ, પ્રતાપનગર રેલવે કોલોની ખાતે યોજાનારા કાર્યક્રમમાં કુલ 85 નવીન પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂકપત્રો આપવામાં આવશે. જેમાં રેલવેના 15, નાણાકીય સેવા વિભાગના 50 અને પોસ્ટ ઓફિસના 20 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

વડોદરામાં યોજાનારો કાર્યક્રમ સવારે 9:30 વાગ્યે શરૂ થશે. કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, સાંસદ ડૉ. હેમાંગ જોશી, મિતેશ પટેલ, રાજપાલસિંહ જાદવ, જશુભાઈ રાઠવા, મનસુખભાઈ વસાવા, દેવુસિંહ ચૌહાણ, મુકેશકુમાર દલાલ, પરભુભાઈ વસાવા તેમજ ધારાસભ્યો યોગેશ પટેલ, બાલકૃષ્ણ શુક્લા, મનીષાબેન વકીલ, કેયૂરભાઈ નારાયણદાસ રોકડિયા, ચૈતન્ય દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કેતનભાઈ ઈનામદાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રોજગાર મેળો યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande