ગાંધીનગર, અમદાવાદ, 19 સપ્ટેમ્બર (હિ. સ.) ગુજરાત સરકારે દિવ્યાંગોને સરકારી ભરતીઓમાં 4 ટકા અનામત આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં વર્ગ ૧ થી વર્ગ ૩ સુધીની તમામ જગ્યા ઉપરની સીધી ભરતી માં, દિવ્યાંગોને 4 ટકા અનામત આપવામાં આવશે. તેમજ જે જગ્યાઓ ઉપર અનામતમાંથી મુક્તિ આપી હોય એ જગ્યાઓ સિવાયની, સીધી ભરતીમાં દિવ્યાંગ વ્યક્તિઓ ને ચાર ટકા અનામત આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ માત્ર પંચાયત વિભાગની સીધી ભરતીમાં ચાર ટકા અનામત આપવાનો નિર્ણય લેવાયો હતો. જ્યારે હવે રાજ્ય સરકારની તમામ જગ્યાઓ ઉપર ચાર ટકા અનામત આપવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર