અરુણાચલમાં 4.4 તીવ્રતાનો ભૂકંપ..
ઇટાનગર, નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) અરુણાચલ પ્રદેશના લોહિત જિલ્લામાં, રવિવારે બપોરે 03:06:41 સે
અરુણાચલમાં 4.4 તીવ્રતાનો ભૂકંપ..


ઇટાનગર, નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) અરુણાચલ પ્રદેશના લોહિત જિલ્લામાં, રવિવારે બપોરે 03:06:41 સેકન્ડ પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેનું માપ 4.4 હતુ. જોકે ક્યાંયથી કોઈ નુકસાનની જાણ થઈ નથી, પરંતુ ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.

સેન્ટર ફોર સિસ્મોલોજી સાયન્સના જણાવ્યા અનુસાર, ભૂકંપનુ કેન્દ્ર અરુણાચલ પ્રદેશના લોહિત જિલ્લામાં જમીનથી 48 કિમી નીચે નોંધાયું છે. ભૂકંપનું કેન્દ્ર 28.15 ઉત્તર અક્ષાંશ અને 96.10 પૂર્વ રેખાંશ પર હતું.

હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ / માધવી


 rajesh pande