ઈલિયાના ડીક્રુઝ હોસ્પિટલમાં દાખલ, આરોગ્ય અપડેટ શેર કર્યું
નવી દિલ્હી, 30 જાન્યુઆરી(હિ. સ.) અભિનેત્રી ઇલિયાના ડી'ક્રૂઝે, તેના ઇન્સ્ટાગ્રામ પર હોસ્પિટલના પલંગ પ
્ગકીહ“


નવી દિલ્હી, 30 જાન્યુઆરી(હિ. સ.) અભિનેત્રી ઇલિયાના ડી'ક્રૂઝે, તેના ઇન્સ્ટાગ્રામ પર હોસ્પિટલના પલંગ પરથી ચિત્રો શેર કર્યા છે. જ્યાં તેણીને પ્રવાહી ચડાવતા જોઈ શકાય છે. પોસ્ટમાં, તેણે ખુલાસો કર્યો કે તેને આઈવી પ્રવાહીની ત્રણ બેગ ચડાવવામાં આવી હતી, જે ખાસ તૈયાર પ્રવાહી છે જે ડિહાઇડ્રેશનને રોકવા માટે સારવાર માટે નસમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ તાજેતરમાં બીમાર પડી હતી, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. બરફી એક્ટ્રેસે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર, બેડ પર સૂતેલી પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે,’ એક દિવસ થી શું ફરક પડે છે? તેણે પછી ઉમેર્યું, કેટલાક સુંદર ડોકટરો અને આઈવી પ્રવાહીની 3 બેગ.

અભિનેત્રીએ હેલ્થ અપડેટ શેર કરી

બીજી પોસ્ટમાં તેણીની સેલ્ફી શેર કરતી વખતે, તેણે લખ્યું, મારા સ્વાસ્થ્ય વિશે મને સંદેશો આપનાર દરેકનો ખૂબ ખૂબ આભાર. હું તમારા પ્રેમની ખરેખર કદર કરું છું અને હું તમને ખાતરી આપી શકું છું કે, હું બિલકુલ ઠીક છું. યોગ્ય સમયે સારી ચિકિત્સા મળી, વધુ સારું લાગે છે. યોગ્ય સમયે તબીબી સંભાળ.

આપને જણાવી દઈએ કે 2017માં ઇલિયાના ડીક્રુઝે ખુલાસો કર્યો હતો કે, તે બોડી ડિસમોર્ફિક ઓર્ડરથી પીડિત છે. તેને આત્મહત્યાના વિચારો આવતા હતા. આ એવી સમસ્યા છે જેમાં દર્દીને તેના શરીરમાં ખામીઓ જોવા મળે છે. તેણીએ તે સમયે કહ્યું હતું કે, ખામીઓ જીવનનો એક ભાગ છે અને વ્યક્તિએ પોતાને પ્રેમ કરતા શીખવું જોઈએ.”

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર / માધવી


 rajesh pande