નવી દિલ્હી, 31 જાન્યુઆરી(હિ. સ.) બોલિવૂડ અભિનેતા આદિત્ય રોય કપૂર અને અભિનેત્રી મૃણાલ ઠાકુરની ફિલ્મ ગુમરાહ 7મી એપ્રિલે મોટા પડદા પર આવવાની છે. આ ફિલ્મ સાચી ઘટનાઓ પર આધારિત એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે.
આદિત્ય રોય કપૂર પહેલીવાર ડબલ રોલમાં જોવા મળશે અને મૃણાલ ઠાકુર પોલીસના રોલમાં જોવા મળશે. આ થ્રિલર ફિલ્મમાં આદિત્ય રોય કપૂર અને મૃણાલ ઠાકુર વચ્ચેનું દ્વંદ જોવા મળશે.
નવોદિત દિગ્દર્શક વર્ધન કેતકર દ્વારા નિર્દેશિત, આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમારની ટી-સિરીઝ અને મુરાદ ખેતાનીના સિનેવન સ્ટુડિયો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગુમરાહ 7 એપ્રિલ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર / માધવી