પોરબંદર,1 ફેબ્રુઆરી(હિ.સ) પોરબંદરના જાવર ગામે લોકોને વ્યાજખોરોના ત્રાસ સામે રક્ષણ આપવા હાર્બર મરીન પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરપંચ સહિત અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં લોકોને વ્યાજખોરોના ત્રાસથી બચવા માર્ગદર્શન અપાયું હતું તેમજ ગેરકાયદેસર વ્યાજખોરીનો ધંધો કરતા શખ્સો સામે પોલીસ ફરિયાદ કરવા અપીલ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર/ તેજસ ઢોલરીયા