નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી (હિ.સ.) વેપાર સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ) એ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ નાણાકીય વર્ષ 2023-24 માટેના કેન્દ્રીય બજેટને વ્યાપક અને પ્રગતિશીલ બજેટ દસ્તાવેજ તરીકે વર્ણવ્યું છે. કેટે કહ્યું કે,” આ વખતનું બજેટ, ભવિષ્યમાં દરેક ક્ષેત્રના વિકાસના પરિમાણોને વ્યવસ્થિત રીતે પ્રકાશિત કરે છે. જે વેપાર અને નાના પાયાના ઉદ્યોગના તબક્કાવાર વિકાસ, આરોગ્ય અને અન્ય સેવાઓના ક્ષેત્રમાં મજબૂત વિકાસના પરિમાણોને રેખાંકિત કરે છે.”
કૈટના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે બુધવારે હિન્દુસ્તાન સમાચારને બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે,” વર્તમાન સ્થિતિમાં બજેટ દ્વારા અર્થવ્યવસ્થાને સ્થિર રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બજેટની જોગવાઈઓ જ્યાં સ્થાનિક વ્યવસાયમાં નવી તકો ઉપલબ્ધ થશે. સાથે જ દેશના નિકાસ વ્યવસાયને પણ મોટો વેગ મળશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે,” કેન્દ્રીય બજેટમાં 7 પ્રાથમિકતાઓ દ્વારા નાણામંત્રીએ બજારમાં વધુમાં વધુ નાણાં લાવવાનો પ્રયાસ કર્યો છે. જેનો પ્રત્યક્ષ કે આડકતરી રીતે વેપારીઓને ફાયદો થઈ શકે છે.” કૈટ જનરલ સેક્રેટરીએ કહ્યું કે,” એકંદરે આપણે તેને સંપૂર્ણ વિકાસ બજેટ કહી શકીએ.”
વેપારી નેતાએ કહ્યું કે,” આવકવેરાના પાંચ સ્લેબ બનાવવા અને વ્યક્તિગત આવકવેરા મુક્તિને વધારીને 7 લાખ કરવી, એ નાણાં પ્રધાન સીતારમણનું સાહસિક પગલું છે. બજેટમાં લોકો અને ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે પણ, આ એક મોટું પગલું છે. તે જ સમયે, બજેટમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન અને ઘણી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો પ્રશંસનીય છે.”
કૈટ દ્વારા દેશના તમામ રાજ્યોમાં એક હજારથી વધુ સ્થળોએ બજેટને લાઈવ નિહાળવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજધાની દિલ્હીમાં ખાન માર્કેટમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંડેલવાલે જણાવ્યું હતું કે,” સીતારામને ભારે અવરોધો, સ્થાનિક અને વૈશ્વિક પડકારો વચ્ચે પણ, બજેટ દ્વારા સૌથી અસરકારક રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ, ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસનો એજન્ડા સેટ કરવામાં સફળતા મેળવી છે.”
ખંડેલવાલે કહ્યું કે,” અમને અફસોસ છે કે, બજેટમાં જીએસટી ટેક્સ માળખાના, સરળીકરણ અને તર્કસંગતીકરણ અંગે કંઈપણ નક્કર જાહેરાત કરવામાં આવી નથી. જે એક બજાર-એક કર ના સિદ્ધાંતની વિરુદ્ધ છે. આ સાથે ઈ-કોમર્સમાં વિદેશી કંપનીઓ દ્વારા, લેવામાં આવી રહેલા મનસ્વી વલણ અંગે દેશભરના વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. આમ હોવા છતાં, તે અર્થતંત્રના દૃષ્ટિકોણથી એક સ્વપ્નદ્રષ્ટા બજેટ છે. જેમાં યુવા, ડિજિટલ ચલણ પર ધ્યાન આપવામાં આવ્યું છે. તે જ સમયે, બેંકિંગનું ડિજિટલાઇઝેશન, ગ્રામીણ વિસ્તારોને વધુ સારી રીતે જોડશે અને તેમના દ્વારા બજારમાં નાણાં મેળવવાની શક્યતાઓ વધશે.’
કેટ જનરલ સેક્રેટરીએ કહ્યું કે,” કોરોના રોગચાળાની પૃષ્ઠભૂમિમાં, સરકારે શક્ય તેટલું શ્રેષ્ઠ બજેટ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. આ માટે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાપ્રધાન નિર્મલા સીતારમણને અભિનંદન આપીએ છીએ. જેમણે ભારતના મજબૂત અને સારી રીતે વ્યાખ્યાયિત વિકાસ માટે એક નિશ્ચિત રોડમેપ પ્રદાન કરવાની પહેલ કરી છે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / માધવી