ન્યુયોર્ક, નવી દિલ્હી, 02 જૂન (હિ.સ.) ભારતે યુએન સુરક્ષા પરિષદને વિકૃત અને અનૈતિક ગણાવી છે. આ સાથે ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ફેરફારની માંગ કરી છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે, સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા પરની ચર્ચામાં ભાગ લેતી વખતે નિખાલસતાથી વાત કરી. કંબોજે કહ્યું કે,” સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ વિકૃત અને અનૈતિક છે અને તે હજુ પણ સંસ્થાનવાદની વિચારસરણીથી ચાલી રહી છે. સુરક્ષા પરિષદ બદલાયેલ ભૌગોલિક રાજકીય પરીદૃશ્યમાં, નવા દળોના ઉદભવને પ્રતિબિંબિત કરતી નથી.” ભારત ઉપરાંત બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનાડાના રાજદ્વારીઓએ, ચર્ચામાં ભાગ લીધો હતો.
મીટિંગ દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે સ્પષ્ટ કર્યું કે,” યુએન સુરક્ષા પરિષદની વર્તમાન રચના આજના બહુ-ધ્રુવીય અને એકબીજા સાથે જોડાયેલા વિશ્વની વાસ્તવિકતાઓ સાથેના પગલાથી બહાર છે.” કંબોજે કહ્યું કે,” સુરક્ષા પરિષદની રચના એક અલગ યુગ છે અને નવા દળોના ઉદયને પ્રતિબિંબિત કરતું નથી. આજે, જ્યારે ભૌગોલિક રાજકીય લેન્ડસ્કેપ બદલાઈ રહ્યું છે, ત્યારે દેશો વધુ સમાન અને ન્યાયી વૈશ્વિક વ્યવસ્થા ઈચ્છે છે.”
કંબોજે કહ્યું કે,” આજે વિશ્વની સામે અભૂતપૂર્વ વૈશ્વિક પડકારો છે, આવી સ્થિતિમાં સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની જરૂર છે. જળવાયુ પરિવર્તન, આતંકવાદ, આપત્તિ અને માનવતાવાદી સંકટને કારણે એકજૂથ અને જવાબદાર પગલાં લેવાની જરૂર છે.”
કંબોજે તમામ દેશોને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા માટે પ્રયાસો કરવા અપીલ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ / સુનીત / ડો. હિતેશ /માધવી