મુખ્યમંત્રી પટનાયકે ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના, પરિવારજનોને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી
ભુવનેશ્વર, નવી દિલ્હી, 04 જૂન (હિ. સ.) મુખ્યમંત્રી નવીન પટનાયકે બાલાસોરના બાહનગા પાસે ભીષણ ટ્રેન દુર
રેલ


ભુવનેશ્વર, નવી દિલ્હી, 04 જૂન (હિ. સ.) મુખ્યમંત્રી નવીન પટનાયકે બાલાસોરના બાહનગા પાસે ભીષણ ટ્રેન દુર્ઘટનાના પીડિત પરિવારો માટે સહાયતા રાશિ ની જાહેરાત કરી છે.

રવિવારે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પાંચ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

મુખ્યમંત્રી નવીન પટનાયકે દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.

શુક્રવારે સાંજે થયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને રાજ્યની વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / સમન્વય / સંજીવ / ડો. હિતેશ/માધવી


 rajesh pande