અરવલ્લી, 4 જૂન(હિ. સ.) અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઇ ગામે જેન્ટ્સ વેર દરજી કામ કરતા વેપારીએ આર્થિક સંક્રામણના કારણે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી હતી.
ટીંટોઇ પોલીસે વેપારીના અપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી હતી આશરે 50 વર્ષીય વેપારીના આપઘાતના સમાચારો મળતા લોકોના ટોળે ટોળા જોવા નીકળી પડ્યા હતા અને આપઘાતથી મોત થયાનું માનવા પણ તૈયાર નહોતા. નાનકડા ગામમાં આપઘાતની ઘટનાની જાણ થતાં સમગ્ર ટીંટોઇ ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં શોકનો માહૌલ સર્જાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર/