વિશ્વ સાયકલ દિવસે બે ભાઈ સનાતન ધર્મના સંદેશ સાથે યાત્રા પર નીકળ્યા
સુરત, 4 જૂન(હિ. સ.)-સુરતના બે ભાઈએ સુરતથી કેદારનાથ સુધીની સાયકલ યાત્રાની શરૂઆત કરી છે. વિશ્વ સાયકલ દ
વિશ્વ સાયકલ દિવસે બે ભાઈ સનાતન ધર્મના સંદેશ સાથે યાત્રા પર નીકળ્યા


સુરત, 4 જૂન(હિ. સ.)-સુરતના બે ભાઈએ સુરતથી કેદારનાથ સુધીની સાયકલ યાત્રાની શરૂઆત કરી છે. વિશ્વ સાયકલ દિવસે બે ભાઈ સનાતન ધર્મના સંદેશ સાથે કેદારનાથ સુધીની યાત્રા પર નીકળ્યા છે. જેઓ રસ્તામાં આવતા રોરકી, હરિદ્વાર, ઋષિકેશ, દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ, ચોપતા, કર્ણપ્રયાગ, ગોપેશ્ર્વર, સોનપ્રયાગ મંદિરમાં દર્શન કરશે. બંને ભાઈનો સાયકલ પર જવાનો હેતુ સનાતમ ધર્મને આગળ વધારવાનો છે.

24 અને 26 વર્ષના બે ભાઈઓની સાયકલ યાત્રાસુરતમાં પર્વત પાટિયા વિસ્તારના મહાવીર નગરમાં રહેતા જયદિપ કથિરીયા (ઉંમર-24) અને ચિરાગ કથિરીયા (ઉંમર-26) વિશ્વ સાયકલ દિવસ નિમિતે બંને ભાઈ સુરતથી કેદારનાથ સાયકલ યાત્રા પર નીકળ્યા છે. બંને ભાઈઓ દ્વારા સાયકલ પર જરૂરિયાતનો સામાન લગાવી દીધો હતો. 22થી 25 દિવસમાં યાત્રા પૂર્ણ કરવાનો અંદાજઆ બંને ભાઈઓની યાત્રા અંદાજિત 22-25 દિવસની રહેશે, તેવો અંદાજ લગાવ્યો છે. જેમાં વચ્ચે રસ્તામાં મંદિરના દર્શન કરશે. રસ્તામાં આવતા રોરકી, હરિદ્વાર, ઋષિકેશ, દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ, ચોપતા, કર્ણપ્રયાગ, ગોપેશ્ર્વર, સોનપ્રયાગ મંદિરમાં દર્શન કરશે. બંને ભાઈનો સાયકલ પર જવાનો હેતુ સનાતમ ધર્મને આગળ વધારવાનો છે.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/बिनोद


 rajesh pande