કમોસમી વરસાદે ડાંગરનું સ્વપ્ન ભાંગી નાખ્યું: નુકસાન નિહાળવા હર્ષ સંઘવી ખેતરે પહોંચ્યા
સુરત, 1 નવેમ્બર (હિ.સ.): દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડતા અસમયી વરસાદે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ખાસ કરીને ડાંગરની પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. તૈયાર પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતો નિરાશા સાથે ખેતરની દશા નિ
Surat


સુરત, 1 નવેમ્બર (હિ.સ.): દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડતા અસમયી વરસાદે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ખાસ કરીને ડાંગરની પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. તૈયાર પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતો નિરાશા સાથે ખેતરની દશા નિહાળી રહ્યા છે.

આ પરિસ્થિતિને ગંભીરતાથી સમજવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ઓલપાડની મુલાકાતે પહોંચ્યા. તેમણે પ્રોટોકોલને બાજુએ રાખીને પોતાની ફૂટવેર દૂર કરી અને પાદુકા વિના ખેતરમાં ઉતરી પાકની હાલત નિહાળી. નુકસાનગ્રસ્ત ડાંગર હાથમાં લઈને તેમણે સ્થાનિક ખેડૂતોથી સીધી વાતચીત કરી અને તેમની મુશ્કેલીઓ સાંભળવી.

સંઘવીએ જણાવ્યું કે સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે અને કોઈ ખેડૂત વળતરથી વંચિત ન રહે તેવી ખાતરી કરાશે. સાથે તેઓએ ખેડૂતોને સર્વે પ્રક્રિયામાં સહકાર આપવા વિનંતી કરી. તેમની સાથે ધારાસભ્ય મુકેશ પટેલ અને ખેતી વિભાગના અધિકારીઓ હાજર હતા, જેઓએ તરત જ નુકસાનનું મૂલ્યાંકન શરૂ કર્યું.

મુલાકાત દરમિયાન એક મહિલા ખેડૂત પોતાની પીડા વ્યક્ત કરતી વખતે ભાવુક બની ગઇ અને રડકી પડી. સંઘવીએ તેને ધૈર્ય આપ્યું અને સરકાર સહાય માટે પ્રતિબદ્ધ છે એમ પુનરોચ્ચાર કર્યો.

રાજ્ય સરકાર દ્વારા મંત્રિઓને પણ વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે જેથી જમીન સ્તરે પરિસ્થિતિની સમીક્ષા ઝડપી થાય અને વળતર સંબંધિત કામગીરી વહેલી શરૂ થાય. ખેડૂતોની બીજી માંગણી મુજબ નહેર રીપેરીંગ બાબતે પણ સંઘવીએ ખાતરી આપી કે આવનારા વર્ષે આ મુદ્દે સત્તાવાર રજૂઆત થશે.

આ મુલાકાત બાદ ખેડૂતોમાં થોડી આશા અને રાહતનું વાતાવરણ જોવા મળ્યું છે, તેમ છતાં વરસાદનું બંધ થવાનું આતુરતાથી રાહ જોવાઈ

રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande