
નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ.સ.): બાળ દિવસ નિમિત્તે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે વિવિધ શાળાઓ અને સંગઠનોના બાળકો સાથે વાર્તાલાપ કર્યો. આ ખાસ પ્રસંગે રાષ્ટ્રપતિએ, બાળકોને દેશનું ભવિષ્ય ગણાવ્યું અને તેમને આત્મવિશ્વાસપૂર્ણ, સંવેદનશીલ અને જવાબદાર નાગરિક બનવા માટે તૈયાર કરવાના મહત્વ પર ભાર મૂક્યો.
રાષ્ટ્રપતિ મુર્મુએ, બાળકો સાથે કેટલીક આનંદદાયક ક્ષણો પણ શેર કરી. કાર્યક્રમ દરમિયાન, ઘણા બાળકોએ વંદે માતરમ ગાયું અને કવિતાઓનું પઠન કર્યું, જેનાથી આનંદદાયક વાતાવરણ સર્જાયું. રાષ્ટ્રપતિએ બાળકોની પ્રતિભાની પ્રશંસા કરી અને તેમને તેમના સપનાઓને પ્રાપ્ત કરવા માટે અથાક પ્રયત્ન કરવા પ્રોત્સાહિત કર્યા.
આ બાળ દિવસ કાર્યક્રમ, બાળકોમાં દેશભક્તિ, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ