ભરૂચ ભાજપા પ્રમુખે ખેડૂતોને થયેલ નુકસાનીનું વળતર વહેલી તકે મળે તે અંગે માહિતી આપી
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા બાબતે અવગત કર્યા હતા ખેડૂતોના કામો માટે કલેક્ટર, ડીડીઓ, મામલતદાર , તલાટી અને ગ્રામસેવકોને સૂચના આપી છે સાંસદ, ધારાસભ્ય , જિલ્લાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને પણ ખેડૂતો માટે ખડેપ
ભરૂચ ભાજપા પ્રમુખે ખેડૂતોને થયેલ નુકસાનીનું વળતર વહેલી તકે મળે તે માટે પત્રકાર પરિષદ યોજી


ભરૂચ ભાજપા પ્રમુખે ખેડૂતોને થયેલ નુકસાનીનું વળતર વહેલી તકે મળે તે માટે પત્રકાર પરિષદ યોજી


ભરૂચ ભાજપા પ્રમુખે ખેડૂતોને થયેલ નુકસાનીનું વળતર વહેલી તકે મળે તે માટે પત્રકાર પરિષદ યોજી


ભરૂચ ભાજપા પ્રમુખે ખેડૂતોને થયેલ નુકસાનીનું વળતર વહેલી તકે મળે તે માટે પત્રકાર પરિષદ યોજી


ભરૂચ ભાજપા પ્રમુખે ખેડૂતોને થયેલ નુકસાનીનું વળતર વહેલી તકે મળે તે માટે પત્રકાર પરિષદ યોજી


રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા બાબતે અવગત કર્યા હતા

ખેડૂતોના કામો માટે કલેક્ટર, ડીડીઓ, મામલતદાર , તલાટી અને ગ્રામસેવકોને સૂચના આપી છે

સાંસદ, ધારાસભ્ય , જિલ્લાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને પણ ખેડૂતો માટે ખડેપગે હાજર છે

ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઉભા રહેવાના દિશાનિર્દેશો આપ્યા છે

ભરૂચ, 2 નવેમ્બર (હિ.સ.) : ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડૂતોને થયેલ નુકશાનીનું વહેલી તકે વળતર મળે તે વિષય અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશ મોદીએ પત્રકાર પરિષદ યોજી પત્રકારોને માહિતી આપી હતી.

ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ પત્રકારોને સંબોધી ખેડૂતોને થયેલ નુકશાનના વળતર માટેની ચર્ચા કરી હતી. ખેડૂતોને થયેલ નુકશાન અને મુશ્કેલીઓ સંદર્ભે પત્રકારો પરિષદ યોજી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા બાબતે અવગત કર્યા હતા. કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલ નુકશાન બાબતે મુખ્યમંત્રી ધ્વારા તમામ જિલ્લાના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર અને તલાટી, ગ્રામસેવકોને સૂચના આપવાના આવી છે. ભરૂચ જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતોને નુકશાન થયું હોય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હર હંમેશ ખેડૂતોની પળખે ઉભી છે. જેથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાના સાંસદ, ધારાસભ્ય અને જિલ્લાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને પણ ખેડૂતો માટે ખડેપગે હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અસાધારણ સંજોગોમાં પડેલ કમોસમી વરસાદ તેમજ તેની વ્યાપકતા જોઈ આવા સંજોગો જવલ્લેજ ખેડૂતો ઉભા થતા હોય,ખાસ સંવેદનાથી રાજ્યના ખેડૂતોના હિતમાં પાકને થયેલા નુકશાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચક્યાસ કરી, જરૂરી કાર્યવાહી કરી, કોઈ ખેડૂતને અડચણ ન થાય તે રીતે 3 દિવસમાં કામકાજ પુરુ થાય અને તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત જ મોકલવામાં આવે, તે માટે ચીફ સેક્રેટરી, એ.સી.એસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને સુચના આપી હતી. જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા ખેતીવાડી અધિકારીને તુરંતમાં જાણ કરવા આદેશો આપ્યા હતા જેથી ખેડૂતોને થયેલા નુકશાન અંગે સહયોગ કરવામાં મદદરૂપ બની શકાય.

તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકશાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઉભા રહેવાના દિશાનિર્દેશો આપ્યા છે.

આ પત્રકાર પરિષદમાં ભરૂચ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નિરલ પટેલ, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, મંત્રી દિવ્યજીતસિંહ ચુડાસમા, મંત્રી જીગ્નેશભાઈ મિસ્ત્રી, અંકલેશ્વર શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિત મોટી સંખ્યામાં પત્રકારોએ હાજરી આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande