આંદામાન અને નિકોબારમાં વીર સાવરકરની પ્રતિમાનું અનાવરણ
શ્રી વિજયપુરમ, નવી દિલ્હી, 12 ડિસેમ્બર (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે, શુક્રવારે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં સ્વતંત્રતા સેનાની, ક્રાંતિકારી અને રાષ્ટ્રવાદી વિચારક, વિનાયક દામોદર
આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વીર સાવરકર ની પ્રતિમાનું અનાવરણ


શ્રી વિજયપુરમ, નવી દિલ્હી, 12 ડિસેમ્બર (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે, શુક્રવારે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં સ્વતંત્રતા સેનાની, ક્રાંતિકારી અને રાષ્ટ્રવાદી વિચારક, વિનાયક દામોદર સાવરકરની પ્રતિમાનું અનાવરણ કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે બપોરે લગભગ 2:30 વાગ્યે દક્ષિણ આંદામાનના શ્રી વિજયપુરમમાં ક્રાંતિકારી અને રાષ્ટ્રવાદી વિચારક વીર સાવરકરની પ્રતિમાનું અનાવરણ કર્યું. સમારોહ દરમિયાન સરસંઘચાલક ડૉ. ભાગવતે, પ્રતિમાના શિલ્પકાર અનિલ સુતારને શાલ અર્પણ કરીને સન્માનિત કર્યા. આ કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, વહીવટી અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

અગાઉ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક એક્સ-પોસ્ટ શેર કરી: સ્વતંત્રતાવીર સાવરકર એવા દુર્લભ ક્રાંતિકારીઓમાંના એક હતા જેમણે ભૌતિક અને વૈચારિક બંને રીતે સ્વતંત્રતા સંગ્રામને એક સાથે આગળ ધપાવ્યો. માતૃભૂમિની યાદમાં લખાયેલા તેમના અમર ગીત સાગરા પ્રાણ તલમલલા ની 115મી વર્ષગાંઠ નિમિત્તે શ્રી વિજયપુરમ (અંદમાન અને નિકોબાર) માં યોજાનારા સમારોહમાં હાજરી આપીને, તેમની સ્મૃતિને નમન કરવા માટે હું આતુર છું.

ઉલ્લેખનીય છે કે, બ્રિટિશ સરકારે વીર સાવરકરને 1911 માં પોર્ટ બ્લેયર (હવે શ્રી વિજયપુરમ તરીકે ઓળખાય છે) ની સેલ્યુલર જેલમાં કાલા પાણીના દંડ હેઠળ કેદ કર્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande