પાટણમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ, લોકોમાં ભયનો માહોલ
પાટણ, 22 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરના રેલવે ગરનાળા વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે અથડામણ થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ભીડભાડવાળા વિસ્તારમાં બનેલી ઘટનાથી સ્થાનિક લોકો અને વેપારીઓમાં ભય વ્યાપી ગયો હતો. લોકોએ લાકડીઓના સહારે આખલાઓને હાંકીને બહાર કા
પાટણમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ, લોકોમાં ભયનો માહોલ


પાટણ, 22 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરના રેલવે ગરનાળા વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે અથડામણ થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ભીડભાડવાળા વિસ્તારમાં બનેલી ઘટનાથી સ્થાનિક લોકો અને વેપારીઓમાં ભય વ્યાપી ગયો હતો. લોકોએ લાકડીઓના સહારે આખલાઓને હાંકીને બહાર કાઢ્યા બાદ જ તેમને થોડી રાહત મળી હતી.

આ ઘટના બાદ નગરપાલિકાની રખડતા ઢોર નિયંત્રણ વ્યવસ્થા સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પાટણ શહેરમાં જાહેર રસ્તાઓ પર વારંવાર આવો જ રખડતા ઢોરનો ઉપદ્રવ જોવા મળતો હોવાથી લોકોનું કહેવું છે કે પાલિકા માત્ર કાગળ પર જ કામગીરી બતાવે છે.

શહેરમાં ઢોર પકડવાની કામગીરી અસરકારક સાબિત ન થવા સાથે આવી ઘટનાઓ લોકોની સલામતી માટે ગંભીર પડકાર બની રહી છે. નગરજનોમાં આ મામલે ભારે અસંતોષ છે અને તેઓ અસરકારક પગલાંની માંગ કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande