



પોરબંદર, 20 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરમા દિપોત્સવની પર્વનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે તો વિવિધ મંદિરો ખાતે દર્શન કરવા શ્રધ્ધાળુઓની ભીડ જોવા મળી હતી પોરબંદરના પૌરાણિક મહાલક્ષ્મીજના મંદિરે આજે દિવાળીના દિવસે ચલણી નોટોના શણગાર દર્શનનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમાં રૂ.1થી 500 સુધીની રૂ.55 લાખની ચલણી નોટોનો શણગાર કરવામા આવ્યો હતો જેના દર્શન કરી શ્રધ્ધાળુઓને ધન્યતાની લાગણી અનુભવી હતી પોરબંદરના પૌરાણિક મહલક્ષ્મીજીના મંદિરે આજે દિવાળીના દિવસે શ્રધ્ધાળુઓએ કમળનુ પુષ્પ અર્પણ કરી સુખ-શાંતિ અને સમૃધ્ધિ માટે પ્રાર્થના કરી હતી મહાલક્ષ્મીજીના મંદિરે છેલ્લા 11 વર્ષથી દિવાળીના દિવસે ચલણી નોટોન શણગાર કરવામા આવે છે. આ વર્ષ પણ રૂ.55 લાખની ચલણી નોટોનો શણગાર કરવામા આવ્યો હતો જેના દર્શન કરી શ્રધ્ધાળુઓ ભાવ વિભોર બની ગયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya