શ્રુતિ ઝંવર ની અનોખી રંગોલીમાં ઝળક્યું ભારતનું ગૌરવગાન
સુરત, 20 ઓક્ટોબર (હિ.સ.)-દિવાળી પર્વના અવસરે સમગ્ર સુરત શહેરમાં રંગોળી બનાવવા નો ઉત્સાહ ચરમસીમાએ છે. એ જ ઉત્સવમાં શહેરની શ્રુતિ ચંદ્રકિશોર ઝંવરે એક વિશિષ્ટ અને સંદેશસભર રંગોળી બનાવી સૌનું ધ્યાન ખેંચ્યું છે. શ્રુતિ ઝંવર ની રંગોળીમાં વર્ષ 2025માં બન
શ્રુતિ ઝંવર ની અનોખી રંગોલી


સુરત, 20 ઓક્ટોબર (હિ.સ.)-દિવાળી પર્વના અવસરે સમગ્ર સુરત શહેરમાં રંગોળી બનાવવા નો ઉત્સાહ ચરમસીમાએ છે. એ જ ઉત્સવમાં શહેરની શ્રુતિ ચંદ્રકિશોર ઝંવરે એક વિશિષ્ટ અને સંદેશસભર રંગોળી બનાવી સૌનું ધ્યાન ખેંચ્યું છે.

શ્રુતિ ઝંવર ની રંગોળીમાં વર્ષ 2025માં બનેલી ભારતની ત્રણ ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ઘટનાઓ — મહાકુંભ, ઑપરેશન સિંદૂર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ —નું અદભુત દર્શન કરાવાયું છે.

આ કૃતિ માત્ર સૌંદર્યનું પ્રતિક નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રપ્રેમની ભાવનાનું જીવંત પ્રતિબિંબ પણ છે.

શ્રુતિ ઝંવરે જણાવ્યું કે તેમણે આ રંગોળી દ્વારા ભારતની વૈવિધ્યતા, પરંપરા અને દેશભક્તિની ભાવનાને એક સાથે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. દિવાળી પર્વના આ અવસરે તેમની આ રંગોળી સુરતવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande