ઉત્તરકાશી, નવી દિલ્હી, 20 ઓક્ટોબર (હિ.સ.). વિશ્વ વિખ્યાત ચાર ધામોમાંના ગંગોત્રી અને યમુનોત્રીના મંદિરોને દિવાળી માટે દુલ્હનની જેમ ફૂલો અને રંગોળીથી શણગારવામાં આવ્યા છે. દિવાળી દરમિયાન બંને મંદિરોના કપાટ શિયાળામાં બંધ કરવાની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે.
શિયાળાની ઋતુ માટે ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા 22 ઓક્ટોબરના રોજ સવારે 11:36 વાગ્યે (અન્નકૂટ પર્વ) અને 23 ઓક્ટોબરના રોજ બપોરે 12:30 વાગ્યે (ભાઈબીજ) બંધ કરવામાં આવશે. કપાટ બંધ થયા પછી, ભક્તો આગામી છ મહિના સુધી મુખવા ગામમાં માં ગંગા અને ખરસાલી ગામમાં માં યમુનાના દર્શન કરી શકશે.
કપાટ બંધ કરતા પહેલા ગંગોત્રી મંદિરને ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે, જે મંદિરની ભવ્યતામાં વધારો કરે છે. દિવાળીના પ્રસંગે, ગંગોત્રી મંદિરને રંગોળીથી શણગારવામાં આવ્યું છે. ગંગોત્રી ધામના રાવલ રાજેશ સેમવાલે સમજાવ્યું કે દીવા પ્રગટાવતા પહેલા માતા ગંગાને અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ, સાંજે દીપ ઉત્સવની ઉજવણી શરૂ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / ચિરંજીવ સેમવાલ / વિનોદ પોખરિયાલ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ