(ઇન્ટરવ્યૂ) ખાદી આત્મનિર્ભરતા અને સ્વદેશીનું પ્રતીક બની ગઈ છે: મનોજ કુમાર
-સુનીલ કુમાર સક્સેના નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી) ના અધ્યક્ષ મનોજ કુમારે જણાવ્યું હતું કે,” ખાદી ફક્ત એક ઉત્પાદન નથી, પરંતુ એક વિચાર અને આત્મનિર્ભર ભારત અને સ્વદેશીનું પ્રતીક છે. કેવીઆઈસી
ખાદી


-સુનીલ કુમાર સક્સેના

નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી) ના અધ્યક્ષ મનોજ

કુમારે જણાવ્યું હતું કે,” ખાદી ફક્ત એક ઉત્પાદન નથી, પરંતુ એક વિચાર

અને આત્મનિર્ભર ભારત અને સ્વદેશીનું પ્રતીક છે. કેવીઆઈસી યુવાનોને

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દરેક ઘરમાં સ્વદેશી, દરેક ઘરમાં

સ્વદેશી અને એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિઝન સાથે જોડવામાં મહત્વપૂર્ણ

ભૂમિકા ભજવી રહ્યું છે. પ્રધાનમંત્રીના આ મંત્રએ સમગ્ર દેશને એક કર્યો છે, અને છેલ્લા 11 વર્ષમાં, ખાદી સૌથી

વિશ્વસનીય બ્રાન્ડ બની છે.”

કેવીઆઈસીના અધ્યક્ષ મનોજ કુમાર, જેઓ 14 થી 27 નવેમ્બર દરમિયાન

ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ખાદી પેવેલિયનની મુલાકાત

લઈ રહ્યા હતા,ત્યારે તેમણે

હિન્દુસ્થાન સમાચાર સાથે વિશેષ વાત કરી. તેમણે કહ્યું કે,” કેન્દ્રીય ગૃહમંત્રી

અમિત શાહે 2 ઓક્ટોબરના રોજ

ખાદી ભવનની મુલાકાત લઈને, ખાદી ઉત્પાદનો ખરીદીને એક મજબૂત સંદેશ આપ્યો કે દેશના

દરેક પરિવારે વર્ષે 5,000 રૂપિયાની એક વખત

ખરીદી કરવી જોઈએ. ત્યારથી,

ખાદીમાં લોકોનો

રસ વધુ વધ્યો છે.”

એક પ્રશ્નના જવાબમાં, અધ્યક્ષ મનોજ કુમારે કહ્યું કે,” એક ભારત-શ્રેષ્ઠ ભારતના

મંત્ર સાથે, ખાદીને વધુ

ઊંચાઈએ લઈ જવાની જરૂર છે. આ માટે, અમે ખાદી, સ્વદેશી, મેક ઇન ઇન્ડિયા, વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત વિશે ચર્ચા કરીશું.”

ભારતને વૈશ્વિક નેતા બનાવવા માટે ખાદી સંસ્થાઓને આગળ વધારવા

અંગેના પ્રશ્નના જવાબમાં,

તેમણે કહ્યું કે,”

દેશભરમાં 3,000 ખાદી સંસ્થાઓ

ખાદી ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલી છે. પાંચ લાખ લોકો આ દ્વારા કામ કરે છે. તમને

જાણીને આશ્ચર્ય થશે કે, આમાંથી 80 ટકા મહિલાઓ છે. ખાદી એકમાત્ર વિભાગ છે જે આટલી મોટી

સંખ્યામાં, મહિલાઓને રોજગારી પૂરી પાડે છે. આજે, ખાદી ગ્રામોદ્યોગ 2 કરોડ લોકોને રોજગારી આપે છે. ગ્રામીણ ભારત માટે આવા

નોંધપાત્ર કાર્યના બહુ ઓછા ઉદાહરણો છે.”

એક પ્રશ્નના જવાબમાં, કેવીઆઈસીના અધ્યક્ષે જણાવ્યું હતું કે,” કનાટ પ્લેસ સ્થિત

ખાદી ભવનના નવીનીકરણ અને સુંદરીકરણનું કાર્ય ચાલી રહ્યું છે. આ ઇમારતને વધુ ભવ્ય

બનાવવાનું કામ આગામી પાંચ મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે.”

અધ્યક્ષ મનોજ કુમારે જણાવ્યું હતું કે,” વડાપ્રધાન મોદીના

નેતૃત્વમાં, ખાદી છેલ્લા 11 વર્ષમાં સૌથી

વિશ્વસનીય બ્રાન્ડ બની ગઈ છે. તેમના દૂરંદેશી નેતૃત્વમાં, દરેક ઘરમાં

સ્વદેશી, દરેક ઘરમાં

સ્વદેશી અને આત્મનિર્ભર ભારત અભિયાન ને એક નવી દિશા મળી છે.”

તેમણે જાણાવ્યું કે,” વડાપ્રધાનની પહેલ, ખાદી ક્રાંતિ એ છેલ્લા 11 વર્ષમાં ખાદી

અને ગ્રામોદ્યોગના વ્યવસાયને ₹1 લાખ 7૦ હજાર કરોડથી વધુનો આંકડે પહોચાડી દીધી છે.”

ચર્ચા દરમિયાન, અધ્યક્ષે ગ્રામીણ વિસ્તારોમાં કેવીઆઈસી સાથે સંકળાયેલા

લાખો કારીગરોને આજીવિકાની તકો પૂરી પાડવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા

માટે સ્વદેશી ઉત્પાદનો ખરીદવા જનતાને અપીલ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ સક્સેના / પવન કુમાર

---------------

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande