
નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) યુ-ટ્યુબએ શિરોમણી
ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (એસજીપીસી) ની ગુરબાની ચેનલને સાત દિવસ માટે સસ્પેન્ડ કરી છે. ભારતીય
જનતા પાર્ટી (ભાજપ) એ યુ-ટ્યુબના આ પગલાની સખત નિંદા કરી અને કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની
માંગ કરી.
ભાજપના મહાસચિવ તરુણ ચુગે ગુરુવારે, યુ-ટ્યુબ પર પોસ્ટ
કરીને કહ્યું કે,” ગુરબાની માનવતા અને સેવાનો સંદેશ છે, જે જાતિ અને
સંપ્રદાયથી પર છે અને જીવન માટે માર્ગદર્શન પૂરું પાડે છે. યુ-ટ્યુબદ્વારા તેનો
પ્રચાર કરતી ચેનલ પર લાદવામાં આવેલ સાત દિવસનો પ્રતિબંધ નિંદનીય છે. ગુરબાની દરેક
ઘરમાં પહોંચે છે, ભક્તિ અને ઉપદેશો
ફેલાવે છે. YouTube એ તાત્કાલિક આ
સસ્પેન્શન હટાવવું જોઈએ. તેમણે માહિતી અને પ્રસારણ મંત્રાલયને તાત્કાલિક હસ્તક્ષેપ
કરવા અને ચેનલને પુનઃસ્થાપિત કરવા અને આ બાબતની સંપૂર્ણ તપાસ કરવા વિનંતી કરી.”
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પ્રભાત મિશ્રા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ