હમાસે ત્રણ બંધકોના મૃતદેહ ઇઝરાયલને સોંપ્યા
ગાઝા પટ્ટી, નવી દિલ્હી, 3 નવેમ્બર (હિ.સ.): આતંકવાદી જૂથ હમાસે રવિવારે સાંજે રેડ ક્રોસ દ્વારા ઇઝરાયલને વધુ ત્રણ બંધકોના મૃતદેહ સોંપ્યા. ઇઝરાયલી અધિકારીઓ ત્રણની ઓળખની પુષ્ટિ કરવા માટે કામ કરી રહ્યા છે. મૃતદેહમાંથી એક સૈનિક ઓમર ન્યુત્રા તરીકે ઓળખાઈ છે
આતંકવાદી જૂથ હમાસે રવિવારે સાંજે રેડ ક્રોસ દ્વારા ઇઝરાયલને વધુ ત્રણ બંધકોના મૃતદેહ સોંપ્યા


ગાઝા પટ્ટી, નવી દિલ્હી, 3 નવેમ્બર (હિ.સ.): આતંકવાદી જૂથ હમાસે રવિવારે સાંજે રેડ ક્રોસ દ્વારા ઇઝરાયલને વધુ ત્રણ બંધકોના મૃતદેહ સોંપ્યા. ઇઝરાયલી અધિકારીઓ ત્રણની ઓળખની પુષ્ટિ કરવા માટે કામ કરી રહ્યા છે. મૃતદેહમાંથી એક સૈનિક ઓમર ન્યુત્રા તરીકે ઓળખાઈ છે. દરમિયાન, ઇઝરાયલે જણાવ્યું હતું કે, હમાસનું હવે ગાઝામાં કોઈ સ્થાન નથી.

ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પુષ્ટિ કરી છે કે, મૃતદેહમાંથી એક અમેરિકન-ઇઝરાયલી સૈનિક ઓમર ન્યુત્રા નો હતો. તેમણે કહ્યું કે, તે વ્યક્તિના માતાપિતા, જે ન્યુ યોર્કના રહેવાસી છે, તેમણે આની પુષ્ટિ કરી છે. ઇઝરાયલી અધિકારીઓ કહે છે કે જો ત્રણ બંધકો તરીકે પુષ્ટિ થાય છે, તો પણ તેમને આઠ વધુ બંધકોના મૃતદેહ મળવા જોઈએ.

હમાસના નિવેદન મુજબ, રવિવારે એક ટનલમાંથી ત્રણ બંધકોના મૃતદેહ મળી આવ્યા હતા. નિવેદનમાં, જૂથે એક ફોટો પ્રકાશિત કર્યો હતો જેમાં એક મૃતદેહ બેગમાં લપેટાયેલો હતો. તેના પર એક મૃત બંધકનું નામ હતું. જૂથે દક્ષિણ ગાઝામાં રેડ ક્રોસના પ્રતિનિધિઓને ત્રણ શબપેટીઓ સોંપી હતી. રેડ ક્રોસે શબપેટીઓ આઈડીએફ ને પહોંચાડી. ઇઝરાયલ પહોંચ્યા પછી, મૃતદેહોને ઓળખ માટે તેલ અવીવમાં અબુ કબીર ફોરેન્સિક ઇન્સ્ટિટ્યૂટમાં લઈ જવામાં આવ્યા.

હમાસે ગુરુવારે અગાઉ બે માર્યા ગયેલા બંધકો, 84 વર્ષીય અમીરમ કૂપર અને 25 વર્ષીય સહર બારુકા ના અવશેષો સોંપ્યા હતા. ઇઝરાયલમાં ઓળખાયા બાદ રવિવારે તેમને દફનાવવામાં આવ્યા હતા. ઇઝરાયલે આતંકવાદી જૂથ પર 10 ઓક્ટોબરથી અમલમાં આવેલા યુદ્ધવિરામ હેઠળ સંમત થયા મુજબ તમામ કેદીઓના પરત ફરવામાં વિલંબ કરવાનો આરોપ મૂક્યો છે.

આ કરાર હેઠળ, હમાસે 72 કલાકની અંદર તમામ 20 જીવંત બંધકોને પરત કરવાની અને તે જ સમયમર્યાદામાં તમામ 28 મૃત બંધકોને શોધવાની જરૂર હતી. ઇઝરાયલનો અંદાજ છે કે, હમાસ ફક્ત થોડા મૃતદેહોનું સ્થાન જાણતા હતા. જૂથે તમામ 20 જીવંત બંધકોને સોંપ્યા, પરંતુ સમયમર્યાદા સુધીમાં ગાઝામાં રાખવામાં આવેલા 28 મૃતદેહોમાંથી ફક્ત ચાર જ પાછા આપ્યા. ત્યારથી, જૂથે ધીમે ધીમે 13 વધુ મૃતદેહો પરત કર્યા છે.

વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ થોડા કલાકો પહેલા સાપ્તાહિક કેબિનેટ બેઠકમાં કહ્યું હતું કે, ઇઝરાયલ-નિયંત્રિત ગાઝામાં બે હમાસ ઠેકાણા બાકી છે. એક રાફાહમાં છે અને બીજું ખાન યુનિસમાં છે. તેમણે વચન આપ્યું હતું કે, તેનો નાશ કરવામાં આવશે. નેતન્યાહૂએ ઉમેર્યું હતું કે, જો ગાઝામાં સૈનિકોને નુકસાન પહોંચાડવાનો કોઈ પ્રયાસ થશે, તો અમે ચોક્કસપણે તેમના પર હુમલો કરીશું.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande