
- જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે 10 સુધી ઓનલાઇન અરજી કરવી
સુરેન્દ્રનગર,6 નવેમ્બર (હિ.સ.) સુરેન્દ્રનગર જિલ્લાના પ્રજાજનોના પ્રશ્નો તથા ફરિયાદો સ્થાનિક કક્ષાએ હલ થાય તે માટે મુખ્યમંત્રીતરફથી જિલ્લા કક્ષાએ “ફરિયાદ નિવારણ દિવસ”નું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ માસમાં 27 નવેમ્બર ગુરૂવારના રોજ સવારે કલેકટર કચેરી, સભાખંડ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે.
અત્રે નોંધનીય છે કે, જિલ્લા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો માટે જે તે મહિનાની 10 નવેમ્બર સુધીમાં swagat.gujarat.gov.in વેબ સાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. જે રજુઆતો નીચલી કક્ષાએ વારંવાર થઈ હોય અને તેનું નિરાકરણ થઈ આવતું ન હોય તેવી અરજીઓ આ કાર્યક્રમમાં સમાવેશ કરવાની થતી હોવાથી જે તે સબંધિત કચેરી તરફથી યોગ્ય પ્રત્યુત્તર મળેલ ન હોય તો તેના આધારો સાથે ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં ઓનલાઈન અરજી કરી તે તમામ આધારોની પી.ડી.એફ. ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાની રહેશે.
અલગ-અલગ વિષય દર્શાવતાં પ્રશ્નો માટે અલગ-અલગ અરજી કરવામાં આવે છે. એક અરજદાર વધુમાં વધુ બે પ્રશ્નો જ રજૂ કરી શકે છે. સરકારી કર્મચારીઓની સેવા વિષયક બાબતને લગતા પ્રશ્નો અને કોર્ટ મેટર કે અપીલ/વિવાદ હેઠળના પ્રશ્નોનો કે બેન્કિંગ અંગેના પ્રશ્નો કે ભૂકંપને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવતો નથી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ