સુરત દુષ્કર્મકેસમાં આસારામને ગુજરાત હાઇકોર્ટે આપ્યા 6 મહિનાના જામીન
- જોધપુર હાઇકોર્ટે જામીન આપ્યા હોવાથી અલગ સ્ટેન્ડ ન લઈ શકીએ: ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ, 6 નવેમ્બર (હિ.સ.) : ચર્ચાસ્પદ આસારામ બાપુને સુરત દુષ્કર્મકેસમાં આસારામને ગુજરાત હાઇકોર્ટે આપ્યા 6 મહિનાના જામીન આપ્યા. સુરત અને જોધપુરમાં દુષ્કર્મકેસના દોષિત અને
સુરત દુષ્કર્મકેસમાં આસારામને ગુજરાત હાઇકોર્ટે આપ્યા 6 મહિનાના જામીન


- જોધપુર હાઇકોર્ટે જામીન આપ્યા હોવાથી અલગ સ્ટેન્ડ ન લઈ શકીએ: ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ, 6 નવેમ્બર (હિ.સ.) : ચર્ચાસ્પદ આસારામ બાપુને સુરત દુષ્કર્મકેસમાં આસારામને ગુજરાત હાઇકોર્ટે આપ્યા 6 મહિનાના જામીન આપ્યા. સુરત અને જોધપુરમાં દુષ્કર્મકેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામ બાપુને ગુજરાત હાઇકોર્ટે 06 મહિનાના રેગ્યુલર જામીન આપ્યા છે. આસારામ વતી રજૂઆત કરવામાં આવી કે જોધપુર કોર્ટે આસારામને 06 મહિના માટે જામીન આપ્યા છે. તે હૃદય સંબંધિત બીમારીથી પીડિત છે અને સારવાર મેળવવાનો હકદાર છે. જો 06 મહિનામાં અપીલની સુનાવણી આગળ ના વધે તો ફરી જામીન અરજી મૂકી શકશે.

ગુજરાત હાઇકોર્ટ કહ્યું, આસારામની મેડિકલ પરિસ્થિતિને આધારે તેને જોધપુર હાઇકોર્ટે જામીન આપ્યા હોવાથી ગુજરાત હાઇકોર્ટ એમાં અલગ સ્ટેન્ડ લઈ શકે નહીં. રાજસ્થાન સરકાર આ જામીનને ચેલેન્જ કરે તો ગુજરાત પણ કરી શકશે. સરકાર પક્ષે રજૂઆત કરી કે જો જોધપુર જેલમાં મેડિકલ સવલતો પૂરતી ના હોય તો સાબરમતીમાં ટ્રાન્સફર કરો.

જ્યારે પીડિતાના વકીલ કહ્યું, આવી પરિસ્થિતિમાં આસારામ અમદાવાદ, જોધપુર, ઇન્દોર વગેરે જગ્યાએ ફર્યો, કોઈ હોસ્પિટલના લાંબો સમય સારવાર લીધી નથી. ​​​​​​સારવાર મળતી હોય તો જામીનની ક્યાં જરૂર છે. આરોગ્યમ મેડિકલ સેન્ટર જોધપુરમાં ડોકટરોની દેખરેખ હેઠળ સારવાર ચાલુ છે. હંગામી જામીન આપવાની જરૂર નથી.

આ પહેલાં ગુજરાત હાઈકોર્ટે આસારામના હંગામી જામીન 4 વખત લંબાવ્યા હતા. હાઇકોર્ટે 27 જૂને ગુજરાત હાઇકોર્ટે 07 જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા. ત્યાર બાદ 03 જુલાઈએ 01 મહિનો અને 7 ઓગસ્ટ, 2025એ ત્રીજીવાર જામીન લંબાવ્યા હતા. હાઇકોર્ટે 19 ઓગસ્ટે ચોથીવાર 3 સપ્ટેમ્બર સુધી જામીન લંબાવ્યા હતા.

આ પહેલાં આસારામને જોધપુર હાઇકોર્ટના ઓર્ડરને પગલે 18 ઓગસ્ટ, 2025ની સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ માટે લવાયો હતો. ખાનગી બોડીગાર્ડના કાફલા સાથે આવેલા આસારામની ઓપીડી અને ટ્રોમા સેન્ટરમાં તપાસ દરમિયાન અંદાજે ત્રણથી ચાર કલાક સુધી દર્દી-સગાંને હાલાકી ભોગવવી પડી હતી. આ પહેલાં આસારામની કારને રોંગ સાઇડથી ટ્રોમા સેન્ટરના ગેટ સુધી લઈ જવાતાં આઠેક એમ્બ્યુલન્સના દર્દીઓએ વીસેક મિનિટ રાહ જોવી પડી હતી. આસારામના ખાનગી બોડીગાર્ડ્સે ટ્રોમા સેન્ટરના દરવાજા અન્ય દર્દીઓ માટે બે કલાક બંધ કરી દીધા હતા. જ્યારે ઓપીડી પણ અઢી કલાક માટે બંધ રહી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande