
નવી દિલ્હી, 23 ડિસેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન ચૌધરી ચરણ સિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ચૌધરી ચરણ સિંહે પોતાનું આખું જીવન સમાજના વંચિત વર્ગોના કલ્યાણ, કૃષિની પ્રગતિ અને ખેડૂતોની સમૃદ્ધિ માટે સમર્પિત કર્યું.
તેમણે કહ્યું કે, ચૌધરી ચરણ સિંહે ખેડૂતો અને ગ્રામીણ ભારતના અધિકારોને મજબૂત બનાવવા માટે નોંધપાત્ર કાર્ય કર્યું. તેમના વિચારો અને નીતિઓ આજે પણ દેશ માટે પ્રેરણાસ્ત્રોત છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશ રાષ્ટ્ર નિર્માણમાં ચૌધરી ચરણ સિંહના યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ