મંત્રીમંડળ: કર્તવ્ય ભવન અને ડોમેસ્ટિક એરપોર્ટને જોડતા, ત્રણ મેટ્રો કોરિડોર વિસ્તરણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી
નવી દિલ્હી, 24 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્ર સરકારે દિલ્હી મેટ્રોના ફેઝ 5એમાટે કુલ ₹12,014.91 કરોડના ખર્ચે ત્રણ નવા કોરિડોરને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ 16.076 કિલોમીટર લાંબો છે અને રાષ્ટ્રીય રાજધાનીમાં કનેક્ટિવિટીમાં વધુ સુધારો કરશે.
મેટ્રો


નવી દિલ્હી, 24 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્ર સરકારે દિલ્હી મેટ્રોના ફેઝ 5એમાટે કુલ ₹12,014.91 કરોડના ખર્ચે

ત્રણ નવા કોરિડોરને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ 16.076 કિલોમીટર લાંબો છે અને રાષ્ટ્રીય રાજધાનીમાં

કનેક્ટિવિટીમાં વધુ સુધારો કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં, કેન્દ્રીય

મંત્રીમંડળે બુધવારે આ મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે

રાષ્ટ્રીય મીડિયા સેન્ટર ખાતે મીડિયાને આ અંગે માહિતી આપી હતી. આ ત્રણ કોરિડોર છે:

આરકે આશ્રમ માર્ગથી ઇન્દ્રપ્રસ્થ (9.913 કિમી), એરોસિટીથી ડોમેસ્ટિક એરપોર્ટ ટી-1 (2.263 કિમી), અને તુગલકાબાદથી

કાલિંદી કુંજ (3.9 કિમી). આ

વિસ્તરણમાં 13 સ્ટેશન હશે, જેમાંથી 10 ભૂગર્ભ અને 3 એલિવેટેડ હશે.

પ્રોજેક્ટનો ખર્ચ કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને આંતરરાષ્ટ્રીય ભંડોળ એજન્સીઓ દ્વારા

ઉઠાવવામાં આવશે.

પૂર્ણ થયા પછી, કોરિડોર 1 પશ્ચિમ, ઉત્તર અને જૂની દિલ્હી અને મધ્ય દિલ્હી વચ્ચે

કનેક્ટિવિટીમાં સુધારો કરશે.જ્યારે બાકીના બે

કોરિડોર દક્ષિણ દિલ્હીને સાકેત અને છતરપુર થઈને ડોમેસ્ટિક એરપોર્ટ ટર્મિનલ 1 સાથે જોડશે.

અશ્નવી વૈષ્ણવના જણાવ્યા મુજબ,’સેન્ટ્રલ વિસ્ટા

કોરિડોર બધી સત્તાવાર ઇમારતોને કનેક્ટિવિટી પ્રદાન કરશે. આનાથી ઓફિસ જનારાઓ અને આ

વિસ્તારમાં મુલાકાતીઓને, ડોર સ્ટોપ કનેક્ટિવિટી પ્રદાન થશે. આ કનેક્ટિવિટીથી દરરોજ

આશરે 60,000 ઓફિસ જનારાઓ અને

200,000 મુલાકાતીઓને

ફાયદો થશે.’

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande