ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે, બીએમસી ચૂંટણી માટે એક થયા, સાથે લડવાની જાહેરાત કરી
મુંબઈ, નવી દિલ્હી,24 ડિસેમ્બર (હિ.સ.) શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ રાજ ઠાકરેએ આગામી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ચૂંટણી માટે સંયુક્ત લડાઈની જાહ
મુંબઈ


મુંબઈ, નવી દિલ્હી,24 ડિસેમ્બર

(હિ.સ.) શિવસેના (યુબીટી)

પ્રમુખ ઉદ્ધવ

ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ રાજ ઠાકરેએ આગામી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન

(બીએમસી) ચૂંટણી માટે

સંયુક્ત લડાઈની જાહેરાત કરી છે, જેમાં મુંબઈમાં હંમેશા સાથે રહેવાનું વચન

આપવામાં આવ્યું છે. ઠાકરે બંધુઓએ બુધવારે મુંબઈની એક હોટલમાં આયોજિત પત્રકાર પરિષદ

દરમિયાન આ જાહેરાત કરી હતી.

સંયુક્ત પત્રકાર પરિષદમાં રાજ ઠાકરેએ કહ્યું કે,”

મહારાષ્ટ્ર ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યું છે. હું આજે જાહેર કરું છું

કે, શિવસેના અને એમએનએસએક છે. તેમણે ઉમેર્યું કે,” તેઓ હંમેશા મહારાષ્ટ્રના

હિતોને પ્રથમ રાખશે.” તેમણે એમ પણ વચન આપ્યું હતું કે,” મુંબઈનો મેયર મરાઠી

વ્યક્તિ હશે, કાં તો તેમની

પાર્ટીનો હશે કે, તેમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરેની પાર્ટીનો.” ઠાકરેએ કહ્યું કે,”

આજે ફક્ત સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી રહી છે. કોણ ક્યાંથી લડશે,

તેના આંકડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.”

શિવસેના (યુબીટી) ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે,” મરાઠી લોકો સામાન્ય

રીતે બીજાઓને હેરાન કરતા નથી, પરંતુ જો કોઈ તેમના માર્ગમાં આવે છે, તો તેમને

બક્ષવામાં આવતા નથી.” તેમણે કહ્યું કે,” અગાઉ વિધાનસભા ચૂંટણી દરમિયાન એવું

કહેવામાં આવતું હતું કે, જો તેઓ ભાગલા પાડશે, તો તેમને કાપી નાખવામાં આવશે. આજે, હું કહી રહ્યો

છું કે, જો મુંબઈવાસીઓ ભાગલા પાડશે, તો તેમને નુકસાન થશે.”

હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર યાદવ / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande