ફૂટબોલ વાર્ષિકી: ભારતીય પુરુષ ટીમ માટે, નિરાશાજનક વર્ષ
નવી દિલ્હી, 26 ડિસેમ્બર (હિ.સ.) ભારતીય પુરુષ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ માટે 2025નું વર્ષ યાદગાર કરતાં વધુ નિરાશાજનક સાબિત થયું. એએફસીએશિયન કપ ક્વોલિફાયરમાંથી બહાર નીકળવા અને ફીફારેન્કિંગમાં સતત નીચે આવવાને કારણે ''બ્લુ ટાઇગર્સ'' માટે
ફીફા


નવી દિલ્હી, 26 ડિસેમ્બર (હિ.સ.) ભારતીય પુરુષ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ માટે 2025નું વર્ષ યાદગાર

કરતાં વધુ નિરાશાજનક સાબિત થયું. એએફસીએશિયન કપ ક્વોલિફાયરમાંથી બહાર નીકળવા અને ફીફારેન્કિંગમાં સતત

નીચે આવવાને કારણે 'બ્લુ ટાઇગર્સ' માટે તે ભૂલી

શકાય તેવું વર્ષ બન્યું.

પરિણામોની દ્રષ્ટિએ, 2025 2024 કરતા થોડું સારું હતું, જ્યારે ભારતીય

ટીમ સમગ્ર કેલેન્ડર વર્ષ દરમિયાન એક પણ મેચ જીતી શકી ન હતી. જોકે, આ વર્ષે પણ ટીમ

સાતત્ય બતાવવામાં નિષ્ફળ રહી.

ભારતીય પુરુષ ટીમે 2025 માં ફરી એકવાર કોચ બદલ્યા. ખાલિદ જમીલે મુખ્ય કોચ તરીકે

મનોલો માર્ક્વેઝનું સ્થાન લીધું. કોચ તરીકેની તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય

ટુર્નામેન્ટ, સીએએફએનેશન્સ કપમાં, ટીમે ખાલિદ

જમીલના માર્ગદર્શન હેઠળ સકારાત્મક સંકેતો દર્શાવ્યા. ભારતે નિયમિત સમયમાં ઉચ્ચ

ક્રમાંકિત તાજિકિસ્તાન અને પેનલ્ટી શૂટઆઉટમાં ઓમાનને હરાવ્યું. આ જીતથી ભારતીય

ટીમને ટુર્નામેન્ટમાં ત્રીજા સ્થાને રહેવામાં મદદ મળી.

જોકે, એશિયન કપ ક્વોલિફાયરમાં આ ગતિ ટકાવી રાખવામાં નિષ્ફળ ગઈ.

ભારત સિંગાપોર અને બાંગ્લાદેશ સામે હારી ગયું, જેના કારણે ટીમ ક્વોલિફાયર રેસમાંથી બહાર થઈ ગઈ.

આ વર્ષે ભારત માટે, બીજો એક મહત્વપૂર્ણ વિકાસ રેકોર્ડ

ગોલસ્કોરર સુનિલ છેત્રીનું આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં પુનરાગમન હતું. જોકે, તેમનું પુનરાગમન

ટીમના પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારો કરવામાં નિષ્ફળ ગયું. એશિયન કપ ક્વોલિફાયરમાં

નિરાશાજનક પરિણામો પછી, સુનિલ છેત્રીએ

નવેમ્બરમાં ફરી એકવાર રાષ્ટ્રીય ટીમમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો.

એકંદરે, 2025 ભારતીય પુરુષ ફૂટબોલ ટીમ માટે અપેક્ષાઓ અને નિરાશાઓથી

ભરેલું વર્ષ હતું.જેમાં કેટલાક

સકારાત્મક ક્ષણો હતા, પરંતુ ટીમ મોટા

મંચ પર છાપ છોડી શકી નહીં.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande