સરકારે બધા પાન મસાલા પેક પર, છૂટક વેચાણ કિંમત (આરએસપી) દર્શાવવી ફરજિયાત બનાવી.....
નવી દિલ્હી, 3 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્ર સરકારે બધા પાન મસાલા પેક પર છૂટક વેચાણ કિંમત (આરએસપી) દર્શાવવી ફરજિયાત બનાવી છે. ગ્રાહક બાબતોના વિભાગે કાનૂની મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટીઝ) બીજા (સુધારા) નિયમો, 2025 ને સૂચિત ક
પાન મસાલા


નવી દિલ્હી, 3 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્ર સરકારે બધા પાન મસાલા પેક પર

છૂટક વેચાણ કિંમત (આરએસપી)

દર્શાવવી ફરજિયાત

બનાવી છે. ગ્રાહક બાબતોના વિભાગે કાનૂની મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટીઝ) બીજા

(સુધારા) નિયમો, 2025 ને સૂચિત કર્યા

છે. આ નવા નિયમો 1 ફેબ્રુઆરી, 2026 થી અમલમાં આવશે.

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં

જણાવ્યું હતું કે,” ગ્રાહક બાબતોના વિભાગે કાનૂની મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટીઝ)

બીજા (સુધારા) નિયમો,

2025 ને સૂચિત કર્યા છે.”

મંત્રાલયના જણાવ્યા અનુસાર,” 1 ફેબ્રુઆરી, 2026 થી અમલમાં આવતા, કાનૂની મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટીઝ) નિયમો, 2011 હેઠળ જરૂરી છૂટક

વેચાણ કિંમત (આરએસપી) અને અન્ય તમામ

માહિતીનું પ્રદર્શન તમામ કદ અને વજનના પાન મસાલા પેક પર ફરજિયાત બનાવવામાં આવ્યું

છે. સૂચના અનુસાર, 10 ગ્રામ કે તેથી

ઓછા વજનવાળા નાના પેક પર પણ છૂટક વેચાણ કિંમત છાપવી જરૂરી રહેશે. આ નિયમ હેઠળ, બધા પાન મસાલા

પેકેજોમાં લીગલ મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટીઝ) રૂલ્સ, 2011 હેઠળ જરૂરી તમામ

ઘોષણાઓ પ્રદર્શિત કરવાની જરૂર પડશે.”

અધિસૂચના અનુસાર, નિયમ 26(a) હેઠળનો પાછલો નિયમ હવે પાછો ખેંચી લેવામાં

આવ્યો છે.જે નાના પાન મસાલા પેક પર ચોક્કસ ઘોષણાઓને બાદ કરવાની

મંજૂરી આપતો હતો. પાન મસાલા માટે એક નવી ઘોષણા ઉમેરવામાં આવી છે. મંત્રાલયના

જણાવ્યા અનુસાર,”બધા પેકેજો પર

છૂટક વેચાણ કિંમત ફરજિયાત બનાવીને, આ ફેરફાર પાન મસાલા પર આરએસપી-આધારિત જીએસટી વસૂલાતને અસરકારક રીતે લાગુ કરશે, જીએસટીકાઉન્સિલના

નિર્ણયોના અમલીકરણને સરળ બનાવશે, સચોટ કર મૂલ્યાંકન સુનિશ્ચિત કરશે અને નાના એકમો સહિત તમામ

પેક કદમાં મહેસૂલ સંગ્રહ સુનિશ્ચિત કરશે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande