રેલવે તત્કાલ ટિકિટ માટે, ઓટીપી સિસ્ટમ લાગુ કરશે
નવી દિલ્હી, 3 ડિસેમ્બર (હિ.સ.) મુસાફરોની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે, ભારતીય રેલવેએ કાઉન્ટર પરથી ખરીદાયેલી તત્કાલ ટિકિટ માટે ઓટીપી-આધારિત ટિકિટિંગ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આગામી થોડા દિવસોમાં દેશભરના તમામ
રેલ્વે


નવી દિલ્હી, 3 ડિસેમ્બર (હિ.સ.) મુસાફરોની સુવિધા અને પારદર્શિતા વધારવા

માટે, ભારતીય રેલવેએ

કાઉન્ટર પરથી ખરીદાયેલી તત્કાલ ટિકિટ માટે ઓટીપી-આધારિત ટિકિટિંગ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આગામી

થોડા દિવસોમાં દેશભરના તમામ રિઝર્વેશન કાઉન્ટર પર આ નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર,”તત્કાલ સુવિધાના

દુરુપયોગને અસરકારક રીતે રોકવા અને સાચા મુસાફરોને વધુ તકો પૂરી પાડવા માટે આ

પગલું લેવામાં આવી રહ્યું છે. રેલવેએ જુલાઈ 2025 માં ઓનલાઈન તત્કાલ ટિકિટ માટે આધાર-આધારિત પ્રમાણીકરણ રજૂ

કર્યું. ત્યારબાદ, ઓક્ટોબર 2025 માં સામાન્ય

રિઝર્વેશનના પહેલા દિવસે ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે ઓટીપી-આધારિત સિસ્ટમ લાગુ કરવામાં આવી. આ બંને પહેલને મુસાફરો

દ્વારા વ્યાપકપણે સ્વીકારવામાં આવી, જેનાથી ટિકિટિંગ પ્રક્રિયા વધુ પારદર્શક બની.”

આ સંદર્ભમાં, 17 નવેમ્બર, 2025 ના રોજ, રેલવેએ રિઝર્વેશન કાઉન્ટર પર તત્કાલ ટિકિટ માટે ઓટીપી-આધારિત સિસ્ટમ

લાગુ કરવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો. હાલમાં, આ સુવિધા 52 ટ્રેનોમાં

લંબાવવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ, મુસાફર દ્વારા તત્કાલ ટિકિટ બુકિંગ ફોર્મમાં આપવામાં આવેલા

મોબાઇલ નંબર પર એક ઓટીપીમોકલવામાં આવે છે. ઓટીપી ચકાસણી પછી જ

ટિકિટ જારી કરવામાં આવે છે.

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, “આગામી દિવસોમાં

બાકીની બધી ટ્રેનોમાં આ ઓટીપી-આધારિત તત્કાલ રિઝર્વેશન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આનાથી

ટિકિટિંગ પ્રક્રિયામાં પારદર્શિતા, સુરક્ષા અને મુસાફરોની સુવિધામાં નોંધપાત્ર વધારો થશે.”

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande