
ઢાકા (બાંગ્લાદેશ), નવી દિલ્હી, 30 ડિસેમ્બર (હિ.સ.). બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) ના અધ્યક્ષ, ખાલિદા ઝિયાનું આજે સવારે 6 વાગ્યે 80 વર્ષની વયે અવસાન થયું. બીએનપી મીડિયા સેલે, તેના સત્તાવાર ફેસબુક પેજ પર આ જાહેરાત કરી.
ઢાકા ટ્રિબ્યુન અખબારે આ અહેવાલ આપ્યો. રાત્રે ખાલિદા ઝિયાની સારવાર માટે રચાયેલા મેડિકલ બોર્ડના સભ્ય અને બીએનપી સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય એઝેડએમ ઝાહિદ હુસૈને પત્રકારોને જણાવ્યું હતું કે, તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ છે. ડો. ઝાહિદે રાજધાની ઢાકામાં એવરકેર હોસ્પિટલના મુખ્ય દ્વાર પર સવારે લગભગ 2:15 વાગ્યે પત્રકારોને જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ વડા પ્રધાન હાલમાં ખૂબ જ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ખાલિદા ઝિયાને 23 નવેમ્બરના રોજ એવરકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ખાલિદાના પુત્ર તારિક રહેમાન, તાજેતરમાં લગભગ 17 વર્ષ પછી લંડનથી બાંગ્લાદેશ પરત ફર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ